Abtak Media Google News

જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના સસરાની અંતિમયાત્રામાં ભાવુક દ્રશ્યો વચ્ચે પુત્રીઓના હસ્તે અંતિમવિધિ

મોરબી:મોરબીના જોધપર ગામમાં ગઈકાલે વડીલ મોભીના અવસાન બાદ ભાઈઓએ પિતાજીની અંતિમવિધિમાં બહેનોને આગળ કરી બહેનોના ખભ્ભે પિતાજીને અનંતની વાટે વિદાય કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

મોરબીના મચ્છુ-૨ ડેમ નજીક આવેલ જોધપર ગામે રહેતા નથુભાઈ નાનજીભાઈ રાજપરાનું ગઈકાલે અવસાન થતાં  પરિવારના વટવૃક્ષ સમા પિતાજીની છાયડી ગુમાવી ગુમાવતા સંતાનો હતપ્રભ બની ગયા હતા.

વભાવે સરળ,ધર્મ પારાયણ અને અત્યન્ત મિલનસાર સ્વભાવથી નાથુભાઈ ગામ આખામાં આદરને પાત્ર ગણાતા અને તેમનું ખુબ માન સન્માન હતું.સ્વ.નાથુભાઈને સંતાનોમાં ત્રણ પુત્રો નાગજીભાઈ,ધર્મેન્દ્રભાઈ અને શૈલેશભાઈ તથા ચાર પુત્રીઓમાં માણેકબેન,શારદાબેન,હંસાબેન અને દક્ષાબેન એમ કુલ સાત સંતાનો છે. ગઈકાલે તેમના પિતાજીના અવસાનના થતા પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેમજ તેમની સ્મશાન યાત્રાની તૈયારીઓ પૂર્ણ થઇ ત્યારે ત્રણેય ભાઈઓએ મળીને પોતાની વહાલી બહેનોને પિતાજીની કાંધ આપવા આગળ કરી હતી અને દીકરીઓએ પણ પોતાના ભાઈઓએ તેમના મનની વાત જાણી લીધી હોય તેમ તૈયાર થઇ ગઈ હતી. અને ચારેય પુત્રીઓએ છેક સ્મશાન સુધી પિતાને કાંધ આપી હતી,આ તકે પુત્રી રતનબેનએ જણાવ્યું હતું કે આ દુનિયામાં ઈશ્વરે ધણા સંબંધો બનાવ્યા છે પરંતુ પિતા અને પુત્રીનો સંબધ બાંધી હાથ ધોઈ નાખ્યા છે.તેમજ વધુમાં જણાવ્યું હતું કે અમારેતો ભાઈઓ પણ પિતા સમાન પ્રેમના સમંદર જેવા છે. આ તકે પરિવારના જમાઈ અને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના અન્યોએ સાંત્વના પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.