Abtak Media Google News

પ્રેમ લગ્ન બાદ પત્નિ પસંદ ન આવતા જમાઇએ બે શખ્સની મદદથી આચાર્યુ કૃત્યુ.

શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર તેમના જમાઇ અને અન્ય એક શખ્સે છરી વડે હુમલો કરતા પ્રૌઢને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઇ મોહનભાઇ ચાવડા નામના ૪૮ વર્ષીય પ્રૌઢ પર તેના જમાઇ ધીરજ તથા તેની બહેનનો પુત્ર નયને છરી વડે હુમલો કર્યાની ઘટના થોરાળા પોલીસ મથકમાં નોંધાઇ છે. ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ. જે.કે. જાડેજા સહીતના સ્ટાફે હોન્ડ જઇ જમાઇ અને નયન નામના કિશોરની અટકાયત કરી છે.

વધુ વિગતમાં જાણવા મળ્યા મુજબ નરેન્દ્રભાઇની પુત્રી ધીરજ સાથે દોઢ વર્ષ પહેલા પ્રેમ સંબંધને કારણે ભાગી જતા બન્ને પરિવારોએ તેમના લગ્ન કરાવ્યા હતા. પરંતુ પ્રેમલગ્નથી નાખુશ ધીરજના પરિવારજનો અવાર નવાર પરિણીતાની પજવણી કરતા તેમજ પરિણીતાને પોતાના પિયર જતા રહેવાનું કહેતા તથા નરેન્દ્રભાઇના પાડોશમાં રહેતા ધીરજના બહેન પણ અવાર નવાર ઝઘડો કરતા હતા.

નરેન્દ્રભાઇ ની પુત્રીને છેલ્લા દોઢ મહીનાથી પિયર મુકીગયા હોય અને ધીરજને હવે તેની સાથે રહેવું ના હોય તેવું કહી ગઇકાલે નરેન્દ્રભાઇના ઘરે જઇ ગાળો ભાંડી નરેન્દ્રભાઇના ભાઇ ભાભીને ઢીકાપાટુ મારતા નરેન્દ્રભાઇ છોડાયા વચ્ચે પડતા ધીરજ પાસે રહેલી છરી વડે હુમલો કરી પગના ભાગે ઇજા થતા નરેન્દ્રભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે નરેન્દ્રભાઇની ફરીયાદ પરથી ધીરજ અને નયનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.