Abtak Media Google News

ઉનામાં ગીરગઢડા રોડ ઉપર સરતીવાવ વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરા વધતા લોકોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો.

ઉના શહેરમાં ગીરગઢડા રોડ ઉપર સરતીવાવની સીમવાડી વિસ્તારમાં સાંજના સમયે ૫ થી વધુ નાના-મોટા સિંહ પરિવાર મારણની શોધમાં આવી ગયા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને જાણ થતા સિંહ દર્શનનો લાભ લીધો હતો અને આ સિંહ પરિવાર છેલ્લા એક માસથી જુડવડલી, ખાપટા, વડવીયાળા, ઉના સીમ વિસ્તારમાં તેમનું રહેઠાણ બનાવી લીધું છે અને તેમણે મારણ પણ સહેલાઈથી મળી જતું હોય અને હાલ જુવાર, બાજરો, મકાઈના પાક ખેતરમાં હોય રહેઠાણ પણ મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.