Abtak Media Google News

આખલાએ ઢીક મારતા અકસ્માતમાં ઘવાયેલા આધેડે સારવારમાં દમ તોડયો

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે રહેતા અને મજૂરી કામ કરતા આધેડને આખલાએ અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલાં બાઈક ચાલકે લાંબી સારવાર બાદ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાટણવાવ ગામે રહેતા અનિલભાઈ કાંતિભાઈ પેથાણી નામના 47 વર્ષીય આધેડ ગત તા.29મી નવેમ્બરના રોજ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે પાટણવાવ અને કાથરોટા વચ્ચે આખલાએ ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં અનિલભાઈ પેથાણીને સારવાર માટે ઉપલેટા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડે લાંબી સારવાર બાદ સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.