Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા 

મહેસાણાના ઊંઝાથી જનવેદના યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે જેના પગલે આજે સાબરકાંઠાના હિંમતનગર બેરણા ગામે જન સંવેદના માટેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોની પ્રતિમાઓને ફૂલહાર કરી તેમના મોત માટે સરકારની નીતિને જવાબદાર ગણાવી હતી. સાથોસાથ દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી દ્વારા થઇ રહેલા વિકાસકાર્યોની રજૂઆત કરી આગામી સમયમાં ગુજરાતમાં આવી રહેલી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મળવાની વાત કરી વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

ગોપાલ ઇટાલીયા દ્વારા તાજેતરમાં ઓબીસી સમાજ સામે ફરતી થયેલી ઓડિયો ક્લિપ મામલે સ્થાનિક ગ્રામજનોએ ગોપાલ ઇટાલીયાની રજૂઆત કરી આવા બેહુદા નિવેદન ન આપવાનું જણાવતાં તેમની પોતાનું નિવેદન ન હોવાની રજૂઆત કરી હતી તેમજ ભાજપ દ્વારા સોશિયલ મીડિયા થકી આવી ક્લિપો ફરી રહી હોવાનું જણાવ્યું હતું જોકે એક તરફ આમ આદમી પાર્ટી પોતાની સાફ સુથરી છાપ ઉજાગર કરવાના પ્રયાસમાં છે ત્યારે ભૂતકાળમાં કરાયેલા નિવેદનો હજુ પણ યથાવત્ હોય તેવું જણાઈ રહ્યું છે.

Screenshot 10 1

જનવેદના યાત્રા થકી કોરોના કાળમાં મૃતકોના પરિવારજનોને આર્થિક સહયોગ આપવાની રજૂઆત આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને જરૂર પડે સરકાર સામે આંદોલન સહિતની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં કોંગ્રેસની ભૂમિકા સામે સવાલ ઊભો કરી જનતાના વ્યાપક જનસમર્થન મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે ત્યારે જોઈ કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જનવેદના થકી કેટલી સફળ બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.