Abtak Media Google News

ભૂતકાળમાં પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં એક ગણેશ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે પછી ઘણો વિવાદ થયો હતો. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને પણ તેની નિંદા કરી હતી, જ્યારે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે સ્થાનિક પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરી હતી.

તાજેતરમાં પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં મંદિરમાં તોડફોડની ઘટના બાદ ત્યાં રહેતા હિન્દુ સમાજના લોકોનો ગુસ્સો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાકિસ્તાનના કરાચીમાં રહેતા લઘુમતીઓએ રવિવારે સતત અત્યાચારનો વિરોધ પ્રદશન વ્યક્ત કર્યું હતું. આ દરમિયાન કરાચીમાં ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ના નારાઓ જોર-જોરથી લગાવવામાં આવ્યા હતા.

રવિવારે લઘુમતી સમુદાયના લોકોએ કરાચીની પ્રેસ ક્લબની બહાર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. હિન્દુ સમુદાય ઉપરાંત, શીખ, પારસી, ખ્રિસ્તી અને અન્ય વર્ગના લોકો પણ હતા. જેમણે તાજેતરમાં મંદિરમાં તોડફોડની ઘટનાને અને લઘુમતીઓ પરના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. અહીં વિરોધીઓ દ્વારા ‘હર હર મહાદેવ’, ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ અહીં ભગવા ધ્વજ લહેરાવ્યા અને ‘વી વોન્ટ જસ્ટિસ’ લખેલા બોર્ડ પણ કાઢવામાં આવ્યા હતા.

Screenshot 12

વિરોધમાં સામેલ લોકોએ શું કહ્યું?

કરાચીના પ્રસિદ્ધ પ્રાચીન હનુમાન મંદિરના મુખ્ય પૂજારી રામનાથ મિશ્રા મહારાજ પણ વિરોધીઓમાં સામેલ હતા. અમે તે લોકોની સખત નિંદા કરીએ છીએ તે બધા વિરોધીઓએ કહ્યું કે જે રહીમ યાર ખાનમાં ગુંડાઓ દ્વારા ગણેશ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી તેવું વિરોધીઓ દ્વારા કહેવામા આવ્યું હતું.

પૂજારીએ કહ્યું કે જેમ ઇસ્લામમાં ધર્મની વિરુદ્ધ કોઇ ખરાબ કામ કરે છે તો તેને મૃત્યુ કે આજીવન કેદની સજા થાય છે, તેવી જ રીતે આપણા ધર્મ વિરુદ્ધ ખરાબ કામ કરનારાઓને પણ સજા થવી જોઇએ. તાજેતરમાં જ પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર વધ્યો છે.

રામનાથ મિશ્રા મહારાજે વધુમાં જણાવ્યું હતું કે અમારા હિન્દુ ધર્મની બદનામી થઈ રહી છે, શાળાના પુસ્તકોમાં હિન્દુ ધર્મ વિશે ન કહેવા જેવુ કહેવામાં આવ્યું છે જે છે. અમારી અપીલ છે કે સરકારે આવી ઘટનાઓ પર કાર્યવાહી કરવી જોઈએ. કરાચીના મુફ્તી ફૈઝલે પણ આ વિરોધમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે હું ઈસ્લામનો છું, પરંતુ હું કહેવા માંગુ છું કે અહીં આવી કોઈ વસ્તુ ન કરવી જોઈએ, જે સમુદાયોમાં નફરત ફેલાવે. આજે પણ ભારતની અંદર મુસ્લિમ લઘુમતી છે અને તે બધા શાંતિથી સાથે રહે છે. તેમણે કહ્યું કે આપણા ઘણા સંબંધીઓ ભારતના વિવિધ શહેરોમાં રહે છે અને દરેક ત્યાં ખુશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.