Abtak Media Google News

એડિલેડમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. યજમાન ટીમને 50 ઓવરના અંતે 9 વિકેટના ગુમાવીને 298 રન બનાવ્યાં છે. આ સાથે જ ભારતને જીતવા માટે 299 રનનો ટાર્ગેટ આપ્યો છે.

તો ભારતે એક ફેરફાર કરતાં ખલીલ અહેમદની જગ્યાએ મોહમ્મદ સિરાઝને ટીમમાં લીધો છે. સિરાઝની આ પહેલી વનડે છે. સિડનીમાં પહેલી વનડે જીતીને ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની સીરીઝમાં 1-0થી આગળ છે.

સીરીઝમાં બની રહેવા ભારતે આ મેચ જીતવી જરૂરી છે. જો ટીમ ઈન્ડિયા હાર્યું તો ફાસ્ટ પીચવાળા દેશમાં સતત બીજી સીરીઝ હારશે. આ પહેલાં ભારતીય ટીમ ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે 1-2થી સીરીઝ હાર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.