બગસરાના ખેડૂતોને અમરેલી કે ગોંડલ યાર્ડમાં ધકકા ના ખાવા પડે તેમજ ઓછા ખર્ચે પુરુ વળતર મળી રહેવા તે માટે બગસરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઇ સતાસીયા દ્વારા બાવકુભાઇ ઉંઘાડ અને આર.સી. ફળદુ ને સાથે રાખી બગસરા માર્કેટીંગ યાર્ડને કોટન કોર્પોરેશન એફ ઇન્ડિયા (સી.સી.આઇ.) ને રજુઆતો કરતા બગસરા તેમજ બગસરા ગ્રામ્ય સહિત બે તાલુકા બગસરા, વડીયા-કુંકાવાવના ખેડુતોને લાભ મળી રહે તે હેતુથી બગસરા માકેટીંગ યાર્ડમાં કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી છે બગસરા માર્કેટીંગ યાર્ડમાં સી.સી.આઇ. અધિકારી તેમજ બગસરા માકેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઇ સતાસિયા તેમજ વિજેન્દ્ર યાદવ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જેમાં ઝવેરભાઇ કાનાણી એવી રીબડીયા રમેશ સતાસીયા કાનજીભાઇ કાનાણી વિકાસભાઇ મોદી રમેશભાઇ સુવાગીયા સહિતના હાજર રહ્યા હતા. તેમ બગસરા એ.પી.એમ. ના ચેરમેન કાંતિભાઇ સતાસીયા દ્વારા જણાવ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ