Abtak Media Google News

 રાજકોટમાં શક્તિસિંહ ગોહિલ ડેલીએ ડેલીએ ફર્યા

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં લોકસંપર્ક

કોંગ્રેસ ઘેર ઘેર અભિયાનનો આરંભ યો છે. રાજકોટમાં શક્તિસિંહ ગોહિલે લોકસંપર્ક અભિયાનનો આરંભ કરાવ્યો હતો.

અભિયાનનો આરંભ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી સવારે ૯-૦૦ કલાકે નારણપુરા વિધાનસભા કાંકરીયા હનુમાન, સોલારોડ અમદાવાદ ખાતેી કરાવ્યો હતો.

આ ઉપરાંત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા ગાંધીનગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા પોરબંદર ખાતે, સિર્ધ્ધાભાઈ પટેલ વડોદરા ખાતે તા શક્તિસિંહ ગોહિલ રાજકોટ ખાતેી તેમજ અન્ય આગેવાનો વિવિધ શહેર / જિલ્લા ખાતેી કોંગ્રેસ ઘેર ઘેર અભિયાન નો શુભારંભ કરી લોકસંપર્ક કાર્યક્રમમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહ દરમ્યાન કોંગ્રેસ ઘેર ઘેર અભિયાન અંતર્ગત ગુજરાતમાં ૧ કરોડી વધુ કુંટુંબીજનો કોંગ્રેસ કાર્યકરો સંપર્ક સાધશે અને નવસર્જન ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા જનઆશીર્વાદ મેળવશે.

શહેર / જિલ્લોના આગેવાનોના નામ અમદાવાદમાં અશોક ગેહલોતજી તા  ભરતસિંહ સોલંકી, ગાંધીનગરમાં મોહનસિંહ રાઠવા, વડોદરામાં સિર્ધ્ધાભાઈ પટેલ,પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડીયા, રાજકોટમાં શક્તિસિંહ ગોહિલ,સુરતમાં ડો. તુષારભાઈ ચૌધરી,ભાવનગરમાં પરેશભાઈ ધાનાણી,બોટાદમાં કુંવરજી બાવળીયા,હિંમતનગરમાં કરસનદાસ સોનેરી,જામનગરમાં વિરજી ઠુમ્મર, સુરેન્દ્રનગરમાં રાજુભાઈ પરમાર, પાટણમાં જગદીશભાઈ ઠાકોર, દાહોદમાં નરેશભાઈ રાવલ, મહેસાણામાં સાગરભાઈ કે. રાયકા, મોરબીમાં સી. જે. ચાવડા, આણંદમાં શ્રીમતી સોનલબેન પટેલ, ભરૂચમાં અશોક પંજાબી, વલસાડમાં ગૌરવભાઈ પંડ્યા,ગોધરામાં ડો.પ્રભાબેન તાવીયાડ, ભુજમાં નૌશાદ સોલંકી,જુનાગઢમાં ઈન્દ્રવિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.