Abtak Media Google News

રાજયમાં તાજેતરમાં મોડ થ્રીની પરિક્ષા પાસ થયેલા 523 પીએસઆઇને હંગામી પોસ્ટીંગ બાદ લોક સભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 130 પીએસઆઇ, રાજકોટ ગ્રામ્યના 15 અને રાજકોટ શહેરના 10 પીએસઆઇની બદલી કરવામાં આવી છે. રાજકોટ રુલરમાં 11 પીએસઆઇ અને રાજકોટ શહેરમાં 30 ફોજદારને નિમણુંક આપવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છના 130, રાજકોટ ગ્રામ્યના 15 અને રાજકોટ શહેરના 10 ફોજદારની બદલી: શહેરમાં નવા 30 સબ ઇન્સ્પેકટરની નિમણુંક

એએસઆઇ ટુ પીએસઆઇની મોડ થ્રીની પરિક્ષામાં પાસ થયેલા 523ને દિવાળી સમયે બઢતી આપી પીએસઆઇ તરીકે હંગામી નિમણુંક આપવામાં આવી હતી. પરંતુ તેઓને લોક સભાની ચૂંટણી સમયે બદલી કરવામાં આવે તે પહેલાં ડીજીપી વિકાસ સહાય દ્વારા તમામની જુદા જુદા શહેરમાં બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.રાજકોટ રુલરમાં મોડ થ્રીની પરિક્ષા પાસ કરી પીએસઆઇ બનેલા મનાત મજનુભાઇ કાળુભાઇ, રાવત પ્રકાશભાઇ, ડીડોર લક્ષ્મણભાઇ ભલાભાઇ, જોગેલા દિપકભાઇ ધિરજલાલ, ચૌહાણ મહંમદરફીક હબીબભાઇ, સોઢાતર લાભુભાઇ કરશનભાઇ, ચૌહામ મુસ્તુફાખાન ફૈજુખાન, પરમાર અનિલકુમાર અરજણભાઇ, બાલાસર પ્રભાતભાઇ રાયધનભાઇ, ભંડેરી ધમિષ્ટાબેન અશ્ર્વિીનકુમાર, લખધિીર વર્ષાબેન લાભુબાઇ, સાંગાણી સરોજબાળા અમૃતલાલ, બારડ નિર્મળાબેન માણસુરભાઇ અને બલદાણીયા કિરણબેન જયેશભાઇની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગરના વાઘેલા મુળજીભાઇ, ભુજના ઘનશ્યામસિંહ જાડેજા, જામનગરના સંજયકુમાર ભટ્ટ, બનાસકાંઠાના સિંધી હિદાયકતુલ્લા સલીમખાન, જૂનાગઢના સંજયકુમાર ગઢવી અને રાજકોટના રાજન્દ્રકુમાર સોલંકીની રાજકોટ ગ્રામ્યમાં નિમણુંક આપવામાં આવી છે.

રાજકોટ શહેરમાંથી બદલી થયેલા PSI

રાજકોટ શહેરમાંથી બદલી સાથે બીપીનદાન ગઢવી પોરબંદર, પાંડવ જગદીભાઇને અમરેલી, ઝાલા પ્રવિણસિંહ કનુભા જૂનાગઢ, હુંબલ જયસુખભાઇ સવજીભાઇને પોરબંદર, માઢક જ્યોત્સનાબેન જસમિનભાઇને જુનાગઢ, સોલંકી પારુલબેન જગદીશભાઇને જુનાગઢ, પરમાર મધુબેન તેજાભાઇને જામનગર અને બોરીચા વનિતબેન ગીરીશકુમારને મોરબીને નિમણુંક આપવામાં આવી છે.

રાજકોટમાં નિમણુંક થયેલા પીએસઆઇની યાદી

મોડ થ્રીની પરિક્ષા પાસ થયા બાદ રાજકોટ શહેરમાં નિમણુંક થયેલા પીએસઆઇમાં સુરેન્દ્રનગરના ભટ્ટી ઇબ્રાહીમભાઇ, અમરેલીના જયેશભાઇ અમરકોટીયા, સુરેન્દ્રનગરના પરમાર બાલજીભાઇ, સુમેરા ડાયાભાઇ, ભૂજના ઝાલા વનરાજસિંહ રવુભા, બનાસકાંઠાના મકરાણી અબ્દુલ રહેમાન, વડનગરા કાંતિલાલ મગનલાલ,  પરમાર વારીશ અલી અનવરખાન, પઢીયાર પ્રકાશચંદ્ર કરશનદાસ, રાજકોટ ગ્રામ્યના ડીંડોર લક્ષ્મણભાઇ, ભૂજના આહિર મહેન્દ્ર જયદ્રથ, સુરેન્દ્રનગરના શબ્બાનાબેન મહંમદભાઇ સૈયદ,  અમદાવાદના કટીયા

ઇસ્માઇલ ઇકબાલભાઇ, ભૂજના જાડેજા શૈલેન્દ્રસિંહ બાલુભા, જામનગરના પુનિતભાઇ મકવાણા, મોરબીના માસાકપુત્રા નજરુદીન જુસબમીયા, પાટણના માજીરાણા મોહનભાઇ ભોજાજી, ઠાકોર ભવાનસિંહ ધારસીંગ, ગીર સોમનાથના  દિનેશભાઇ ગોહેલ, ગોહેલ પ્રિયાબેન સંગ્રામભાઇ, મોવલીયા મુકેશકુમાર કેશવકુમાર, જાદવ કેતનભાઇ પરસોતમભાઇ, વરુ મેસુરભાઇ જગાભાઇ, મુળુભાઇ ગોવિંદભાઇ સોલંકી, રાવલ હિતેશભાઇ કિરીટભાઇ, બેલીમ ઇકબાલ અલ્લારખાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.