Abtak Media Google News

રાજયમાં આઇએસ અને જીએએસ કેડરની બદલીના દોર વચ્ચે પોલીસ વડા દ્વારા મોડી સાંજે સૌરાષ્ટ્રના 7 સહીત ર3 પીએસઆઇની બદલીના હુકમ કર્યા છે.જેમાં રાજકોટ ગ્રામ્યના બી.એમ. લગારીયા ને આઇબીમાં, દેવભુમી દ્વારકાથી જી.જે. ઝાલા રાજકોટ ગ્રામ્યમાં અને પોરબંદરના 4 ફોજદારની ટ્રાન્સફર કરવામાં આવી છે.

વધુ વીગત મુજબ લાંબા સમયથી પોલીસ ખાતામાં બદલીના ભણકારા વચ્ચે રાજયના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા 23 પીએસઆઇની બદલી કરવામાં આવી છે.

જેમાં રાજકોટ ગ્રામ્યના બી.એમ. લગારીયાને આઇબીમાં, દેવભુમી દ્વારકાના જી.જે. ઝાલા ને રાજકોટ ગ્રામ્યમાં, દેવભુમી દ્વારકાના આર.એમ. મુંધવાને પંચમહાલ, અમરેલીના સાબડ અરજણભાઇને સુરત ખાતે, પોરબંદરના સીદી રમજાનભાઇ હુસેનભાઇને વડોદરા, કમલેશભાઇ ગળચરને અમદાવાદ શહેરમાં, યોગેશ પટેલને ભાવનગર, મકવાણા રામાભાઇને વડોદરા શહેરમાં અને સીઆઇડી ક્રાઇમના ગોહીલ રવીરાજસીંહને જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.