Abtak Media Google News

રાજકોટનાં વી.પી. આહીર, યુ.બી. જોગરાણા, ગ્રામ્યનાં યશપાલસિંહ રાણા, દાનુભાઇ ખાચર, શૈલેષભાઇ વસાવા બદલાયા : ગ્રામ્યનાં ખોખર અફરોઝબાનુ શહેરમાં મુકાયા

અબતક,રાજકોટ

રજયમાં વિધાનસભાની ચુંટણીનાં ભણકારા વાગી રહયા છે. ત્યારે 3 વર્ષથી વધુ સમય ફરજ બજાવતા ફોજદારોની બદલીનાં સામુહીક હુકમો કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રનાં 14 સહીત પ1 પીએસઆઇનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ શહેરનાં વી.પી. આહીર, યુ.બી. જોગરાણા, ગ્રામ્યનાં યશપાલસિંહ રાણા, દાનુભાઇ ખાચર, શૈલેષભાઇ વસાવા બદલાયા , ગ્રામ્યનાં ખોખર અફરોઝબાનુ શહેરમાં મુકાયા છે.

વધુ વીગત મુજબ રાજયનાં પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા મોડી સાંજે પ1 ફોજદારોની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરનાં વીરમ આહીરને ગાંધીધામ, યુ.બી. જોગરાણાને અમદાવાદ ગ્રામ્ય, ચીરાગ પટેલને સુરત , રાજકોટ ગ્રામ્યનાં યશપાલસીંહ રાણાને સુરેન્દ્રનગર, ખાચર દાનુભાઇને ગાંધીધામ, શૈલેષ વસાવાને વડોદરા, ખોખર અફરોઝબાનુને રાજકોટ શહેર, જામનગરનાં વૈશાલી આહીરને ભરુચ, અમરેલીનાં દીપકભાઇ તુવરને ભરુચ, મોરબીનાં આર.પી. જાડેજાને જુનાગઢ, ભાવનગરનાં સુમરા સલમાને જુનાગઢ, જુનાગઢનાં ચૌહાણ નીલેશને વડોદરા ગ્રામ્ય, સુરેન્દ્રનગરનાં એરવાડીયા ચંદ્રીકાબેનને ભુજ, જુનાગઢનાં સોનલબેન અગ્રાવતને બોટાદ, ભુજનાં સોઢા જયપાલસીંહને જામનગર  અને મહેસાણાનાં વાંજા દેવને દેવભુમી દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.