Abtak Media Google News

પ્રમોશનને લઈ બદલીનો ઘાણવો અટકયાની ચર્ચા

છેલ્લા એકાદ અઠવાડીયાથી રાજયનાં આઈપીએસ અધિકારીઓની લઈ ચાલતી અટકળો વચ્ચે અધિકારીઓનાં પ્રમોશનના મામલે નિર્ણય ન થતા બદલીનો ઘાણવો ઘોચમાં પડયો હોવાનું ટોચનાં સુત્રો જણાવી રહ્યા છે.

ટોચનાં વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજયનાં આઈપીએસ અધિકારીઓની બદલી અંગે છેલ્લા એક અઠવાડિયાથી અટકળો ચાલી રહી છે. જેમાં ખાસ કરીને પ્રમોશનને પગલે બદલીનો ઘાણવો અટકયો હોવાનું ચર્ચા તુ હતું.બીજી તરફ ડીજીપી કચેરીનાં સુત્રોએ પ્રમોશન ઓર્ડરને કારણે ઘાણવો અટકયાનું ઉમેરતા જણાવ્યું હતું કે, એ.એસ.પી., એસ.પી., ડી.આઈજી, આઈજી અને એડીશનલ આઈજીના પ્રમોશનનો મામલો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી સમક્ષ પડયો હોય હજુ નિર્ણય ન થતા બદલીનો ઓર્ડર થયા ન હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન આ ઘાણવામાં ૪૦થી વધુ અધિકારીની ફેરબદલ કરવામાં આવનાર હોવાનું સુત્રોએ ઉમેરી જણાવ્યું હતું કે, સંભવત: આગામી અઠવાડિયાથી શ‚આતમાં જ ઘાણવો નિકળનાર હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.