Abtak Media Google News

ગુજરાત સરકારે વધુ ૧૫૦૦ કયુસેક નર્મદા નીરની માંગણી કરતા મધ્યપ્રદેશનો સ્પષ્ટ ઈન્કાર

રાજયમાં ભયંકર જળ તંગીના કારણે તાત્કાલીક યોગ્ય ઉકેલની જરૂરીયાત ઉભી થઈ છે જેના ભાગરૂપે ગુજરાત સરકારે મધ્યપ્રદેશ પાસેથી નર્મદા નીરનો વધુ જથ્થી માંગ્યો હતો. પરંતુ મધ્યપ્રદેશની ભાજપ સરકારે ગુજરાત સરકારને વધુ જથ્થી આપવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે.

અગાઉ સરકાર દ્વારા નર્મદા કંટ્રોલ ઓથોરીટી પાસેથી ૧૫૦૦ કયુસેક નર્મદા નીરની માગણી કરવામાં આવી હતી. જો કે, નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટીએ ૬૦૦ કયુસેક પાણી આપવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ એકાએક મધ્યપ્રદેશ સરકારે વધારાનો જથ્થો ફાળવવાનો ઈન્કાર કરી દેતા મામલો ગુંચવાયો છે અને ગુજરાત તથા મધ્યપ્રદેશ વચ્ચે ખેંચતાણ થઈ રહી છે.

આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, મધ્યપ્રદેશ સરકારે ગુજરાતને વધુ ૧૫૦૦ કયુસેક નર્મદા નીરનો જથ્થો આપવાની ના પાડી હોવાની વાતી હું અજાણ છું. હજુ સુધી મધ્યપ્રદેશ સરકાર તરફી સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. તેમની જરૂરીયાત મુજબ નર્મદા નીરના પગલા લેવામાં આવશે. તેવું જરૂરી નથી કે બે રાજયોમાં એક જ પક્ષની સરકાર હોય તો બન્નેના નિર્ણયો સરકાર હોય.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.