Abtak Media Google News

જગુઆર લેન્ડ રોવર ઇંડિયાએ સુરત શહેરમાં નવજીવન વૈભવી કારના અધિકૃત રિટેલર તરીકે ઓપનિંગની જાહેરાત કરી છે. જેથી ભારતમાં તેનું વધુથી વધુ વિસ્તરણ થઈ શકે. નવજીવન વૈભવી કાર કંપનીએ રાજ્યની અદ્યતન મલ્ટી-લેવલની સુવિધા વિકસાવી છે. જેનાં શુભારંભ પ્રસંગ નિમિતે જગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લિમિટેડના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રોહિત સુરી, શ્રી હિતેન્દ્ર ગજ્જર, ડિરેક્ટર એવાં મિ. દિપક ગજજર ઉપસ્થિત રહ્યા હતા.

જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા લિમિટેડના પ્રેસિડન્ટ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રોહિત સુરીએ જણાવ્યું હતું કે, “અમે સુરતમાં અમારી નવી ડીલરશીપ સુવિધા શરૂ કરવા માટે ખુશી અનુભવીએ છીએ અને દક્ષિણમાં જગુઆર અને લેન્ડ રોવર પ્રોડક્ટ્સ માટે અમારા ગ્રાહકોની સુલભતાને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ”.

Jaguar Brand
Jaguar Brand

મોટી મોટી કંપનીનું ગુજરાતમાં આગમન વિકાસની ગતિ દર્શાવે છે. જગુઆર કંપની ગ્રાહકોનાં કોઈપણ પ્રશ્નો માટે હમેશા સારી નિરાકરણની નીતિ રાખે છે. તેમજ ગ્રાહકોને સારી સેલ્સ અને સર્વિસ મળે તેના માટે હમેશા આગળ પડતું ખુદનું ધ્યાન દોરે છે. લેન્ડ રોવરનાં વાહનો અમદાવાદ, ઔરંગાબાદ, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઇ, કોઈમ્બતુર, દિલ્હી, ગુડગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કરનલ, લખનઉ, લુધિયાણા, મેંગલોર, મુંબઇ, નાગપુર, નોઈડા, પુણે, રાયપુર, વિજયવાડા અને હવેથી સુરત શહેર ખાતે પણ સારી સુવિધા સાથે મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.