Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગરમાં ફરી એક વખત કેબલ કેબલ ચોરીની ઘટના સામે આવી છે જ્યાં સ્કરોએ જુદા જુદા ચાર ખેડૂતોના ઈલેક્ટ્રિક વાયર ની ચોરી કરી લઈ ગયા હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને ગુન્હેગારોને પકડવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર તાલુકાના બેરાજા ગામની છે જ્યાં રહેતા અને ખેતી કામ કરતા ગોપાલભાઈ કાનજીભાઈ મોલીયા નામના પટેલ ખેડૂતે પોતાના વાડીથી લઈને બાજુના ચેક ડેમ સુધી ના ૬૦ મીટર લંબાઈના કેબલની ચોરી થયાનું પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઉપરાંત બાજુમાં જ આવેલી છગનભાઈ ડોબરિયાની વાડી પાસેથી ૧૨૫ ફૂટ કેબલ, ઉપરાંત વિપુલભાઈ મોલીયા ના ૨૫૦ ફૂટ કેબલ તથા કલ્પેશભાઈ સાવલિયા નામના ખેડૂત ના ૧૦૦ ફૂટ કેબલની કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. ગત્ત તારીખ ૪.૬.૨૦૨૩ ના દિવસે સવારે દસ વાગ્યાથી બપોરે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન ધોળા દિવસે તસ્કરો વાયર ચોરી કરી ગયા છે, જેને પોલીસ શોધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.