Abtak Media Google News

જામનગર નજીક રણજીતસાગર ડેમ પાસે ગાર્ડન નજીક બે પિતરાઈ ભાઈ પર ચાર શખ્સોએ બેટ અને પાવડાનાં હાથા વડે હુમલો કરી ઈજા પહોચાડયાની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમલગ્ન મામલે બે પરીવાર વચ્ચે ચાલતા મનદુ:ખનાં કારણે આ હુમલો થયાનું જાહેર થયું છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં રણજીતસાગર રોડ પર યુવાપાર્કમાં રહેતા હાર્દિક કમલેશભાઈ નંદા નામના યુવાને પોતાના પર તથા પિતરાઈ ભાઈ નિકુંજને અપશબ્દો ઉચ્ચારી બેટ અને પાવડાના ફાઈબરના હાથા વડે માર મારીને મુંઢ ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રોહિત અશોકભાઈ હરવરા, રાજેક ઉર્ફે ભોલો મનુભાઈ હરવરા, સુભાષ મનુભાઈ હરવરા અને કરણ સુભાષભાઈ હરવરા સામે નોંધાવી છે.

ઈજાગ્રસ્ત યુવાનના પરીવારની એક યુવતિએ અગાઉ સામાવાળા રોહિત સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી બંને પરીવાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતા મનદુ:ખનાં કારણે આ હુમલો કરાયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.આ બનાવની ફરિયાદનાં આધારે પોલીસે ચારેય સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.