Abtak Media Google News

આજે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે, જેનાથી દેશમાં સ્ટાર્ટઅપ, ઇકોસિસ્ટમ અને યુવાનોને પ્રોત્સાહન અને પ્રેરણા મળશે. ભારતીય ઇકોનોમી માં હવે સ્ટાર્ટઅપનું યોગદાન નોંધનીય સ્વરૂપે બહારઆવી રહ્યું છે ત્યારે આ સફળતા પાછળ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના દરેક સ્ટોક હોલ્ડરોનો અગત્યનો ફાળો રહેલ છે. આજે ભારત 100 કરતા વધારે યુનિર્કોન સ્ટાર્ટઅપનું ઘર છે. યુનિર્કોન સ્ટાર્ટઅપ એટલે જેનું માર્કેટ વેલ્યુએશન 100 કરોડ હોય અને તે કોઈ સ્ટોક માર્કેટમાં લિસ્ટ ન થયા હોય. આજે ભારતના યુનિર્કોન સ્ટાર્ટઅપની વિશ્વ ફલક ઉપર નોંધ લેવાઈ રહી છે.

Advertisement

દેશની જનસંખ્યા કે વસ્તીમાં યુવાધન કે જે યુવાઓ આવતી કાલ ને ઉજાગર કરે છે. તેમના સ્વપ્નો નક્કર સ્વરૂપ આપવા અને તેમને નવી દિશા-નિર્દેશના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડીઝીટલ ઇન્ડિયા જેવા અભીયાનો ચલાવવામાં આવે છે.

રાજકોટનો જ એક યુવાન સી.એસ. દર્શિત આહ્યા સૌરાષ્ટ્ર-કચ્છના સ્ટાર્ટઅપને આગળ લઇ જવા માટે, માર્ગદર્શન માટે અને તેમને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિવિધ ઇન્વેસ્ટરો, વિવિધ ઇન્ક્યુંબેશન સેન્ટર સાથે નેટવર્કીગ કરાવી સૌરાષ્ટ્ર-કચ્છની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકાસ કરવામાં અને તેને દેશના આંતરાષ્ટ્રીય લેવલે મહત્વ અપાવવામાં અગત્યનો ફાળો ભજવી રહ્યો છે. સી.એસ. દર્શિત આહ્યા દ્વારા નવા ધંધા રોજગારીની દિશામાં આગળ વધવા માંગતા યુવાનો આત્મનિર્ભર બની શકે અને તેમના સ્વપનો ને નક્કર સ્વરૂપ આપી શકે તે માંટે તત્પર છેઅને દરેક આવા કાર્ય પગલા લે છે.

હાલમાં ભારતભરમાં સ્ટાર્ટઅપના ક્ધસેપ્ટ નો ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને ઘણા ઉદાહરણ રૂપ કહી શૈય તેવા સ્ટાર્ટઅપ સામે આવી રહ્યા છે. “સ્ટાર્ટઅપ ડેમો ડે” આયોજન ના સી.એસ. દર્શિત અહ્યાયાના માર્ગદર્શન હેઠળ અથર્વમ વેન્ચર્સ દ્વારા કરવામાં આવેલ હતું. આ કામગીરી દ્વારા અને સૌરાષ્ટ્ર-કચ્છના યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણારૂપ બનવાની યાત્રામાં ઐતીહાસીક પગલુંભર્યાનો શ્રેયસી.એસ.દર્શિતભાઈ આહ્યા ખાતે જાય છે. કંપની સેક્રેટરીની પ્રેક્ટીસ ધરાવતા દર્શિતભાઇ આહ્યા 7 વર્ષથી ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમની કંપની D N AHYA & CO. માં કોર્પોરેટ કક્ષાએ પુરું પાડવામાં આવતી તમામ સેવાઓ કંપની રજીસ્ટ્રેશન લઇને કંપનીના અલગ-અલગ સરકારના ધારા ધોરણો મુજબ ગુડવર્ગનન્સ અને કોર્પોરેટ સસ્ટેનેબીલીના ક્ધસેપ્ટને યર્થાથ કરતી મોખરાની સેવાઓ આપને  D N AHYA & CO. રાજકોટ ખાતે આપે છે. તેઓ ટ્રેડમાર્કના નિષ્ણાંત તરીકે પણ ખ્યાત નામ છે.

સી.એસ. દર્શિત આહ્યા દ્વારા સ્ટાર્ટઅપને કઈ રીતે આઈડિયાથી કોમર્શીયલ સ્ટેજ ઉપર લઈ જઈ શકી, કઈ રીતે પિચિંગ કરવું, સરકારી યોજનનો કઈ રીતે લાભ લેવો તેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

સી.એસ. દર્શિત આહ્યા દીર્ઘદર્ષ્ટિ અને બહોળો અનુભવ તમારા સ્ટાર્ટઅપને લગતા કોઇપણ પ્રશ્ર્નો હોય તેની વિસ્તૃત છણાવટ અને ઊંડા અભ્યાસ થી ખૂબ સરળ રીતે પ્રશ્ર્નોેનું નિરાકરણ લાવવામાં આવે છે. અહિયાં વાત કરીએ ટેકનોલોજીકલ સપોર્ટ અને ટીમ મેનેજમેન્ટનું યોગદાન પણ એટલુ જ છે. દરેક વ્યક્તિ પોતપોતાના કાર્યમાં કુશળતાધરાવે છે.અને તેને અનુરૂપ કાર્યભાર સંભાળે છે. મુલ્યવર્ધન અને સહુનો સાથ અને વિકાસ. એકબીજાના હરીફ નહિ પણ એકબીજાના પુરક બનીને કઈ રીતે ધંધાના કાર્યોને એક માનવીય સ્પર્શ આપી શકાય તે બખુબી અહિયાં જોવા મળે છે.

સી.એસ. દર્શિત આહ્યા આ સમગ્ર સ્ટાર્ટઅપ અને નવા ઉદ્યોગ સાહસિકોને પોતાનો અનુભવ અને તેમના ખુદના પોર્ટફોલિયોના વિવિધ સફળ સ્ટાર્ટઅપની સફળયાત્રાના ભાગરૂપે તેનું અનુભવઅને જ્ઞાન ઉદ્યોગ સાહસિક સાથે શેર કરે છે. તેમનો સંપર્ક તેમના મેલ આઈ.ડી. ahya.darshitgmail.com અને તેમના સંપર્ક નંબર 90336 33231 ઉપર થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.