Abtak Media Google News

જસદણ સમાચાર

જસદણના મોટાદડવા ગામે 25 વર્ષીય  દિવ્યાંગ મહિલા સાથે ત્રણ નરાધમ યુવાનોએ દુષ્કર્મ  આચાર્યની ઘટના સામે આવી છે . દુષ્કર્મ આચરનાર નરાધમોને  પોલીસ પહેલા જ  ગામના યુવાનો એ ત્રણેય નરાધમોને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોટાદડવા ગામે ભર બપોરના સમયે પ્લોટ વિસ્તારમાં રહેતા ઓસમાણભાઈ અલારખભાઈ સમા ની પુત્રી અત્યંત દિવ્યાંગ સાથે માનસિક 25 વર્ષના વયની યુવતીનો એકલતાનો લાભ લઇ મોટાદડવાના રહેવાસી ત્રણ યુવાનો જેમાં ખોડ હોથી મૂંગરાભાઈ , અક્ષય મનુભાઈ બાબરીયા, હરેશ નાનજીભાઈ પરમાર આ ત્રણેય નરાધમો એ બપોરના સમયે આ યુવતીને બળજબરી સાથે દુષ્કર્મ આચરતા બાજુના રહેવાસીઓને ખ્યાલ આવતા દોડી ગયા હતા .

જેમાં વિપુલ રાયધનભાઈ રાઠોડ તેમજ બાવાજી.મહેશભાઈ સહિત અનેક સેવાભાવી નવયુવાનો આ નરાધમોને પકડવા દોડી આવ્યા હતા . જો કે રહેવાસીઓ પહોંચે એ પહેલાં જ ચપ્પલ મૂકી નરાધમો ભાગી છૂટ્યા હતા. પોલીસ સ્ટેશનને  જાણ કરી હકીકત જણાવી હતી ગામના યુવાનો એ ગણતરીની કલાકોમાં પોલીસનું કામ આસાન કરી દીધું હતું.  હાલ નજીકના આટકોટ પોલીસ ખાતે  આ ત્રણેય નરાધમોને પકડી પોલીસ સ્ટેશન હાજર કર્યા હતા. હાલ આટકોટ પી.એસ.આઈ સીસોદીયા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કાળુ રાઠોડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.