Abtak Media Google News

પૈસા દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે માથામાં પથ્થર ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો’તો

 

જેતપુરમાં જૂના રેન બસેરા પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મોતનું સચોટ કારણ જાણવા માટે રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ ખસેડાયો હતો. જેમાં યુવાનની હત્યા થઈ હોવાનુ સામે આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં રૂ.700ની ઉઘરાણી પ્રશ્ને સાથી મિત્રએ જ માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના થાણા ગલોલ ગામ રહેતા અને છૂટક મજૂરી કરતા મુકેશભાઈ દેવશીભાઈ પરમાર નામનો યુવાન ગત તા.24મી ના રોજ સવજી ડાયા બગડા સાથે જેતપુર મજૂરી કમે જવાનું કહીને નીકળ્યા બાદ સાંજે ઇજાગ્રસ્ત હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો. જેમાં યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા વાગવાથી મોત થયું હોવાનું જાણવા મળતાં પોલીસે તપાસ હાથધરી હતી.
પોલીસે તેના સાથી મિત્ર સવજી બગડાને પૂછતાછ કરતાં તેણે હત્યા કર્યાની કબૂલાત આપી હતી. સવજીના જણાવ્યા મુજબ મુકેશ પાસે પોતે રૂ.700 માંગતો હતો જે અંગે ઉઘરાણી કરતા મુકેશે પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા સવજીએ મુકેશને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.