એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયરૂપ સ્વામિનારાયણ ગુરૂકુલ જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ દિન પ્રતિદિન સફળતાના શિખર સર કરી રહી છે ત્યારે એસજીવીપી અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના પાવન સાનિઘ્યમાં રવિવારના રોજ સાંજે ૫ કલાકે એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે હૃદયને લગતી તમામ સારવાર કરતી અલ્ટ્રા મોડર્ન કેથ લેબના ભવ્ય ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉદઘાટક તરીકે શા.માધવપ્રિયદાસજી સ્વામી રહેલ છે. મુખ્ય અતિથી તરીકે હર્ષદભાઈ અને અતિથિ વિશેષ તરીકે ડો.વિક્રાંત પાંડે (આઈ.એ.એસ. કલેકટર અમદાવાદ) રહેલ છે. આ પ્રસંગે કાર્ડિયોલોજિસ્ટ ટીમ ડો.સમીર દાણી, ડો.રશ્મિત પંડયા, ડો.કૃષ્ણકિશોર ગોયલ, ડો.અનુપ ગુપ્તા, ડો.જોયલ શાહ અને ઈન્ટરનેશનલ ન્યુરોલોજીસ્ટ ડો.કેયુર પટેલ ઉપસ્થિત રહેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ