Abtak Media Google News

એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયરૂપ સ્વામિનારાયણ ગુરૂકુલ જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ દિન પ્રતિદિન સફળતાના શિખર સર કરી રહી છે ત્યારે એસજીવીપી અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના પાવન સાનિઘ્યમાં રવિવારના રોજ સાંજે ૫ કલાકે એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે હૃદયને લગતી તમામ સારવાર કરતી અલ્ટ્રા મોડર્ન કેથ લેબના ભવ્ય ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉદઘાટક તરીકે શા.માધવપ્રિયદાસજી સ્વામી રહેલ છે. મુખ્ય અતિથી તરીકે હર્ષદભાઈ અને અતિથિ વિશેષ તરીકે ડો.વિક્રાંત પાંડે (આઈ.એ.એસ. કલેકટર અમદાવાદ) રહેલ છે. આ પ્રસંગે કાર્ડિયોલોજિસ્ટ ટીમ ડો.સમીર દાણી, ડો.રશ્મિત પંડયા, ડો.કૃષ્ણકિશોર ગોયલ, ડો.અનુપ ગુપ્તા, ડો.જોયલ શાહ અને ઈન્ટરનેશનલ ન્યુરોલોજીસ્ટ ડો.કેયુર પટેલ ઉપસ્થિત રહેશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.