ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરસ્વતી લોક સંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન કાર્યક્રમ “પાગલ છે જમાનો ફુલોનો”નું આયોજન થયું હતું. આ કાર્યક્રમ કવિ શુન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કવિ તરીકે રાજેન્દ્ર ભટ્ટ, જયંત કોરડીયા, હરેશ સોંદરવા, સુનીતા શ્રીમાળી, નાથાલાલ પરમાર અને કમલેશ જેઠવા અમર આ બધા કવિઓએ પોતાની કવિતાના ઓજસ પાથર્યા હતા. કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના મહામંત્રી ડો. હિમ્મત ભાલોડીયાએ ઓનલાઇન હાજરી આપીને કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક સંસ્થા સરસ્વતી લોક સંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ શારદાબેન બારોટ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને બહોળી સંખ્યામાં શ્રોતાઓએ ઓનલાઇન ઇ-માધ્યમથી નિહાળ્યો હતો.
Trending
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શનિવારે રાજકોટમાં: વિશાળ રોડ-શો કરે તેવી સંભાવના