Abtak Media Google News

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરસ્વતી લોક સંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન કાર્યક્રમ “પાગલ છે જમાનો ફુલોનો”નું આયોજન થયું હતું. આ કાર્યક્રમ કવિ શુન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કવિ તરીકે રાજેન્દ્ર ભટ્ટ, જયંત કોરડીયા, હરેશ સોંદરવા, સુનીતા શ્રીમાળી, નાથાલાલ પરમાર અને કમલેશ જેઠવા અમર આ બધા કવિઓએ પોતાની કવિતાના ઓજસ પાથર્યા હતા. કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના મહામંત્રી ડો. હિમ્મત ભાલોડીયાએ ઓનલાઇન હાજરી આપીને કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક સંસ્થા સરસ્વતી લોક સંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ શારદાબેન બારોટ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને બહોળી સંખ્યામાં શ્રોતાઓએ  ઓનલાઇન ઇ-માધ્યમથી નિહાળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.