Abtak Media Google News

જૂનાગઢના ગિરનારની ગણતરીની મિનિટોમાં જ સફર કરાવતી રોપવે સર્વિસ આજથી આગામી તા. 15 સુધી બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આજ તા. 10 ઓક્ટોબરથી આગામી તા. 15 ઓક્ટોબર સુધીની રોપવે સેવા પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી છે.

હાલમાં રોપવેની મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી હોય, જેના કારણે હાલમાં પ્રવાસીઓ માટે રોપવેની સફર સ્થાગીત કરવામાં આવી છે. અને આગામી તા. 16 થી ગિરનાર પર્વત પરનો રોપવે ફરી કાર્યરત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.