Abtak Media Google News

હાય રે કળયુગ

મિલકત અને લગ્ન બાબતે છરી અને ધોકા વડે હુમલો કર્યો

જુનાગઢમાં ત્રણ સગા પુત્રોએ તેના પિતા પર લગ્ન બાબતે તેમજ મીલકત બાબતે ચાલતા કેસનું મન દુખ રાખી પાઇપ, છરી અને લાકડી વડે હુમલો કરી ઈજા ગ્રસ્ત કર્યા હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.જુનાગઢના શાંતેશ્વર શેરી નં. 10 માં રહેતા રતિલાલ બાબુભાઇ ચીખલીયા (ઉ.વ. 42) અને તેમના પુત્રો પિયુશ, અંકિત અને સાગર વચ્ચે લગ્ન બાબતે તેમજ મીલકત બાબતે કેસ થયેલ હોય.

જે જુની વાતોનુ મન દુખ રાખી, પુત્ર પિયુશ એ તેના પિતા રતિલાલને લોખંડનો પાઈપ મારી ઈજા કરી હોવાની તથા બીજા પુત્ર અંકિત એ તેના પિતાને છરી વડે હુમલો કરી તથા ત્રીજા પુત્ર સાગરએ લાકડી વડે માર મારી તેના પિતાને ઈજાઓ કરી હોવાની બી ડીવી. પોલીસમાં રતિલાલ બાબુભાઇ ચીખલીયા એ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદીના ત્રણેય પુત્રો સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.