Abtak Media Google News

સમાજની મીટીંગમાં કાન્હા વિચાર મંચ દ્વારા ઓનલાઈન બ્લોગની રચના કરાઈ

ભારતના અન્ય સમાજની સાથે સાથે આહીર સમાજના પણ ઈષ્ટદેવ ગણાતા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ટુંક સમયમાં આવનાર હોય જેમના જન્મોત્સવની આહિર સમાજ દ્વારા વિશેષ ઉજવણી કરવા અંગે તાજેતરમાં દ્વારકા ખાતે સમાજના અગ્રણીઓની એક મીટીંગ યોજવામાં આવી હતી.

શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષ ઉજવણીના ભાગરૂપે આહીર સમાજના યુવાનો દ્વારા કાન્હા વિચાર મંચના ઓનલાઈન બ્લોગની પણ રચના કરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં ઈષ્ટદેવની ભકિતને પણ આધુનિક ટેકનોલોજીનો સાથ આપી કાન્હા વિચાર મંચ નામનો ઓનલાઈન બ્લોગ પણ રચવામાં આવ્યો છે.

જેમાં દ્વારકામાં ઠાકોરજીનો જન્મોત્સવ શ્રેષ્ઠતમ રીતે મનાવી શકાય તે માટે યુવાનોની મદદ પણ લેવામાં આવનાર છે. યુવાનો તેમજ આહિર સમાજના લોકો ઘેર બેઠા જ ટેકનોલોજીની મદદથી આ બ્લોગના માધ્યમથી કાન્હાના ગોવાળીયા બની જન્માષ્ટમીના કાર્યક્રમમાં તેમનું યોગદાન પ્રદાન કરી શકશે. આ બ્લોગમાં જોડાઈ જન્મોત્સવને યાદગાર બનાવવા આહિર સમાજના યુવાનોને કાન્હા વિચાર મંચ દ્વારા અપીલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.