Abtak Media Google News

કારખાનાની અગાશી પર પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

શહેરના નવરંગપરામાં આવેલા ચામુંડા વુડ વર્કસ નામના કારખાનાની અગાશી પરથી બુટલેગરની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ મળી આવતા માલવીયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલા મણીનગરમાં રહેતા મહેશ ઉર્ફે હરેશ ઉર્ફે કાળીયો મગનભાઇ નામના ૪૯ વર્ષના પ્રજાપતિ પ્રૌઢની નવરંગપરા શેરી નંબર ૮-૧૧ના ખૂણે આવેલા ચામુંડા વુડ વર્કસ નામના કારખાનાની અગાશી પર અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યાનું માલવીયાનગર પોલીસમાં નોંધાયું છે. હત્યાના બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, માલવીયાનગર પીએસઆઇ રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ચામુંડા વુડ વર્કસ નામના કારખાની અગાશી પર ત્રણેક દિવસ પહેલાં અજાણ્યા શખ્સોએ પથ્થના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક અગાઉ હત્યા અને દારૂના ગુનામાં ઝડપાયો હોવાથી પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી હત્યાનો ભેદ ઉકેલવા પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.