Abtak Media Google News

આ વર્ષે શિવયોગમાં કરવા ચોથ છે આસો વદ ચોથને બુધવાર તા.4ના રોજ કરવાચોથ છે. આ વ્રત પરણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રતમાં આખો દિવસ નકરડો ઉપવાસ રહેવો સાંજના સમયે ગણપતીદાદા, મહાદેવજી, પાર્વતીજી અને કાર્તિકેયનું પૂજન કરવું સાથે ચંદ્રનું પણ પૂજન કરવું એક બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેની ઉપર મૂર્તી રાખવી બધા જ ભગવાનની મૂર્તીનો હોયતો તેના બદલે સોપારીને નાડાછડી વીટી અને રાખવી ત્યારબાદ હાથમાં ચોખા લઈ અને ગણપતીદાદાનું નામ લઈ અને દાદા ઉપર પધરાવા મહાદેવજીની સોપારી ઉપર ૐ શિવાયે નમ: બોલી અને ચોખા પધરાવા પાર્વતીજીની સોપારી ઉપર ૐ ગૌરીયે નમ: બોલી ચોખા પધરાવા અને ૐ કાર્તિકેયાય નમ: બોલી કાર્તિકેયની સોપારી ઉપર ચોખા પધરાવવા ત્યારબાદ જળ અને પંચામૃત ચડાવી અને એક ચંદ્ર દેવની સોપારી રાખી તેના ઉપર ૐ સોમાય નમ: બોલી ચોખા પધરાવા અને તેને પણ જળ અને પંચામૃત અર્પણ કરવું સોપારી ઉપર જળનો અભિષેક કરી ચોખ્ખી કરી બાજોઠ પર વસ્ત્ર રાખી તેના પર પધરાવી અને વસ્ત્ર અબીલ ગુલાલ ચંદન ચોખા કરી નૈવેધમાં લાડુ ધરવી ત્યારબાદ આરતી કરવી સમાયાચના માગવી આ પૂજન બ્રાહ્મણ દ્વારા પણ મંત્રચાર સાથે કરાવી શકાય આમ સાંજના સમયે પૂજન કર્યા બાદ કથા સાંભળવી

ચંદ્ર ઉગે એટલે એક ચારણી લેવી તેમાં દિવો પ્રગટાવી અને ચંદ્રના દર્શન કરી અર્ઘ અર્પણ કરવું અને ત્યારબાદ ચારણીમાંથી પતિદેવનું મોઢુ જોવું અને પતિદેવના હાથે જળ પીવું અને પતિદેવ ને ભોજન આપી પછી પોતે ભોજન કરવું સાસુ માતાજીને પગે લાગી એક લોટો અને તેમને નવા વસ્ત્ર ભેટમાં આપવા બ્રાહ્મણને દાન દક્ષિણા આપી સાસુમા પતિદેવના આશીર્વાદ લેવા.

આમ આવી રીતે 12 વષ અથવા 16 વર્ષ સુધી આ વ્રત રહેવું આજીવન પણ રહી શકાય વ્રતના ઉથાપનમાં 13 સુહાગન બહેનોને ભોજન કરાવું સાંજે પૂજાનો શુભ સમય 4.43 થી 6.07, ચંદ્ર ઉદયનો સમય રાત્રે 8.53 કલાકે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.