Abtak Media Google News

મંદિર પરિસર અવનવી રંગોળી અને રંગબેરંગી લાઈટોી ઝળહળી ઉઠ્યું: દરરોજ ૩૦૦ી વધુ સ્વયંસેવકોએ આપી ઉમદા સેવા

મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું જેતપુરના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દિવાળીના વેકેશનમાં પણ દેશ-વિદેશના લાખો ભક્તોએ ખોડલધામની મુલાકાત લઈ મા ખોડલના આશીર્વાદ મેળવી નવા વર્ષનો મંગલ પ્રારંભ કર્યો. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી કોઈ પણ જાતની તકલીફ ઉભી ન થાય તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.દિવાળીના તહેવાર દરમિયાન દર્શને આવેલા ભક્તોએ ખોડલધામ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો.New Image 1વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો મા ખોડલના દર્શને આવતા હોવાથી અન્નપૂર્ણાલયમાં ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. નેશનલ હાઈવેથી લઈને ખોડલધામ મંદિર સુધી ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વેકેશનમાં દરરોજ ૩૦૦થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. ખોડલધામમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી સ્વયંસેવકોએ પાર્કિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, અન્નપૂર્ણાલય, કેન્ટીન, બગીચા, પ્રસાદઘર વગેરે વિભાગોમાં ખડેપગે રહીને સવારથી સાંજ સુધી સેવા આપી હતી. દિવાળાના વેકેશનમાં માતાજીના દર્શન કરવા માટે મંદિરના અંદરના ભાગથી લઈને બહાર સુધી મોટી લાઈનો લાગી હતી તેમ છતાં કોઈ જ પ્રકારની મુશ્કેલી વિના ભક્તોએ શાંતિથી દર્શન કર્યા હતા.ઉપરાંત ભક્તો માટે વિનામૂલ્યે ચા-પાણીની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિવ્યાંગ કે સિનિયર સિટીઝન માટે મુખ્યગેટથી મંદિર સુધી જવા માટે વ્હીલચેર અને ગોલ્ફકારની વ્યવસ્થા પણ સ્વયંસેવકોએ સંભાળી હતી.New Image 3

Advertisement

દિવાળીના તહેવાર દરમિયાન મા ખોડલનો દરરોજ અવનવા વાઘા અને આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં દરરોજ અવનવી રંગોળી કરવામાં આવી હતી. દિવાળી પ્રકાશનો તહેવાર હોવાથી મંદિર પરિસરને પણ રંગબેરંગી લાઇટોથી નવોઢાની જેમ શણગારી દેવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.