Abtak Media Google News

હુમલાખોર ત્રણ શખ્સ સામે નોધાતો ગુનો

શહેરના નવા થોરાળા વિસ્તારમાં ચારબાઇ મંદિર પાસે નજીવા પ્રશ્ને યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી લોખંડના પાઇપ મારતા ઘવાયેલા યુવાનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી તપાસ હાથ
ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા મેઇન રોડ પર આવેલા ચારબાઇ મંદીર પાસે રહેતા સન્નીભાઇ રામજીભાઇ ખસીયા નામના ર૦ વર્ષના કોળી યુવાન પર વિજય ભીમજીભાઇ પરમાર, પિન્ટુ ખોડાભાઇ મકવાણા અને વિજય મકવાણા નામના શખ્સોએ લોખંડના પાઇપ વતી હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમીક પૂછતાછમાં ચારબાઇ મંદીર પાસે રહેતો ચિરાગ મકવાણા, સની ખસીયાનો મિત્ર થતો હોય અને ચિરાગ મકવાણાને બો દિવસ પહેલા વિજય ભીમજી પરમાર સાથે સામુ જોવા બાબતે ઝઘડો થયો હતો. સન્ની ખસીયા મોડી રાત્રી ચિરાગ મકવાણાને ઘરે મુકવા ગયો હતો ત્યારે વિજય પરમારે તું કેમ ચીરાગને મુકવા આવ્યો છો તેમ કહી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ.એન. ગડુ ફરીયાદના આધારે તપાસ ચલાવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.