Abtak Media Google News

યુદ્ધે ચડેલા ત્રણ ખૂંટિયાઓ ઘર નજીક બેઠેલા વૃદ્ધને લીધા ઠોકરે

રાજકોટમાં ખૂટિયાને પકડવામાં તંત્ર તો જાણે નિષ્ફળ રહ્યું હોય તેવું સામે આવ્યું છે.ખૂટિયાને ઢિકે ચડાવતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે છતાં પણ આવી ઘટનાઓ બાદ તંત્રએ આંખ આડા હાથ કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એક આવી જ ઘટના સામે આવી છે કોઠારીયા સોલવન્ટ માં રહેતા અને નિવૃત જીવન જીવતા વૃદ્ધને અંખલાએ ઢીકે ચડાવતા તેમને ગંભીર ઇજા પહોંચતા તત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની માહિતી મુજબ કોઠારીયા સોલવન્ટ માં રહેતા નરસિંહ કાનજી ભટ્ટી નામના 72 વર્ષીય વૃદ્ધ ગઈકાલે સવારના સમયે પોતાના ઘર નજીક બેઠા હતા ત્યારે યુદ્ધે ચડેલા ત્રણ ખૂંટિયાઓ તેમને ઢીકે ચડાવતા તેમને ગંભીર ઈજા પોહચી હતી.જેથી તેમને આજે સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ આજી ડેમ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ તેમનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે જો હવે તંત્ર ખૂંટિયાઓને પંજારે પૂર્સે તો જ લોકોના જીવ બચી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.