Abtak Media Google News

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોરઠના મહેમાન બનવાના છે. એક્ટિંગના બેતાજ બાદશાહ કે જેઓ આજે પણ ફિલ્મમાં એ જ ઉર્જા સાથે કામ કરે છે તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ૨૬મી જુલાઈએ તેઓ પરિવાર સાથે ગુજરાતના વિસ્તારોની મુલાકાત લેશે.

Amitabh Bachchan Shuts Down 'Everyday Abuse', Lists Down All His Charitable  Efforts, Says It'S 'Embarrassing' | Bollywood - Hindustan Times

અમિતાભ બચ્ચન આગામી તા.૨૫ અને ૨૬ એમ ૨ દિવસ રોપ વે ની સફર કરી માં અંબાજીના દર્શન કરશે. ભવનાથ સ્થિત ગૌરક્ષકનાથ આશ્રમની પણ લેશે મુલાકાત. આ ઉપરાંત ગીર સોમનાથની પણ મુલાકાત લેશે.ગીર સોમનાથમાં સોમનાથ મંદિરની મુલાકાત લઇ મહાદેવની પૂજા અર્ચના કરી ભોળાનાથના દર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે તેમને હમણાં જ એક ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. અત્યાર સુધી અમિતાભ બચ્ચને માત્ર આપણે ‘ખુશ્બુ ગુજરાત કી’ કહીને ગુજરાતના પ્રવાસનને વેગ આપતા જોતા હતા. ત્યારે હવે તો ફરી ગુજરાત આવીને મહાદેવ અને અંબા માતાના ચરણોમાં શીશ જુકાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.