Abtak Media Google News

ચોટીલા નજીક આવેલા ઝીંઝુડા ગામના યુવાનને તેની પત્ની સાથે થયેલા ઝઘડાના કારણે કિન્નર કાકાજી સસરાએ ઘાઘરી પહેરાવી ગામમાં ફેરવવાની ધમકી દેતા ઝેરી દવા પી આપઘાત કર્યા અંગેની ઘટનામાં નાની મોલડી પોલીસે રાજકોટના મનહરપુરના ચાર સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

રાજકોટના મનહરપુરની પત્ની, બનેવી અને કાકાજી સહિત ચાર સામે આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાતો ગુનો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝીઝુંડા ગામના વતની અને વાંકાનેર પાસે મકનસર ગામે સિરામીક ફેકટરીમાં કામ કરતા જયસુખ દિનેશભાઇ સારલા નામના યુવાને ગત તા.29મીએ ઝેરી દવા પી લેતા  વાંકાનેર પાસે પળાસા ગામે માતાજીના મઢે લઇ ગયા હતા ત્યાર બાદ તેને કુવાડવા ખાતેની હોસ્પિટલે અને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતક જયસુખના ચારેક વર્ષ પહેલાં રાજકોટના મનહરપુરની સોનલ સાથે લગ્ન થયા હતા. જ્યારે તેની બહેન સેજલના પોતાના સાળા રમેશ હોમા જાંખેલીયા સમે ચારેક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. ગત તા.30 ડિસેમ્બરે જયસુખને તેની પત્ની સોનલ સાથે ઝઘડો થતા સોનલના કાકા કિન્નર વિનાભાઇએ ઘાઘરી પહેરાવી ગામમાં ફેરવવાની ધમકી દેતા ઝેરી દવા પી આપઘાત કર્યાની મૃતક જયસુખના પિતા દિનેશભઇ સોમાભાઇ સારલાએ નાની મોલડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. વી.એ. વાળા સહિતના સ્ટાફે કિન્નર સહિત ચારેય સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.