Abtak Media Google News

લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ, અભેસિંહ રાઠોડ લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૩મી પુણ્યતિથિએ ૯ માર્ચ સોમવાર રાત્રે ૯ કલાકે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ (જૂનું માર્કેટ યાર્ડ, પાળિયાદ રોડ) ખાતે સતત ૧૦મા વર્ષે ‘મેઘાણી વંદના કસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન થયું છે.

નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થઈ રહ્યું  છે. બોટાદ જિલ્લા પોલીસ, બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બોટાદ નગરપાલિકા તથા બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.નો પણ આ કાર્યક્ર્મ માટે સહયોગ પ્રાપ્ત થયો છે.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. લોકકલાકાર સુખદેવ ધામેલીયા, પોતાની આગવી શૈલીમાં, રસપ્રદ વાતો કહેશે. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન છે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે.

4 Banna For Site

ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ સોરઠી સંતવાણીમાંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.

આ સ્વરાંજલિ કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)નું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે. બોટાદ તથા રાણપુર ખાતે સ્થાપિત મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.