Abtak Media Google News

વિશ્ર્વભરમાં હળવદના લાડુ જાણીતા છે, અહિંના ભૂદેવો લાડવા ખાવામાં જાણીતા છે, આજે તો વિવિધ પ્રકારના લાડવા બનવા લાગ્યા છે, ભગવાન શ્રી ગણેશજીને મોદક અતિ પ્રિય હતા

લાડવા…. મોદક …. ભારતની સૌથી પૌરાણિક મિઠાઇ છે. આદિકાળથી સારા પ્રસંગે લાડવાનો મહિમા આપણી પરંપરા સાથે જોડાયેલો છે. ભારતના લગભગ દરેક રાજયમાં લાડવા શુભ મિઠાઇ છે, જો કે તેના અલગ અલગ નામો છે જેમાં લડું, મોદક, લાડવા સાથે વિવિધ પ્રકારના લાડવા બને છે. વર્ષોથી ઘી-ગોળ અને લોટથી લાડવા બનતા આવ્યા છે. પરિવર્તન અને બદલાતી લાઇફ સાઇલમાં લાડવાએ પણ અવનવા રંગો બદલયા છે. મુખ્યત્વે ગોળની જગ્યાએ ખાંડ આવી ગઇ છે.

વિશ્ર્વભરમાં લાડવાની વાત આવે એટલે હળવદના લાડવાની વાત આવે જ, છોટે કાશી તરીકે ઓળખાતા હળવદ શહેર ભૂદેવ નગરી તરીકે જાણીતી છે. અહીંના ભૂદેવો લાડવા ખાવામાં વિશ્ર્વભરમાં જાણીતા છે. માત્ર એક ટંકમાં ૬૦ લાડવા ખાનાર હળવદના દુર્ગાશંકર બાપા જગવિખ્યાત છે. આજે પણ આ ગામમાં જાુવાનિયા ૧પ થી ર૦ લાડુ આરોગી જાય છે.

લાડુએ ઘંઉના લોટમાં ઘી અને ગોળ કે ખાંડ નાખીને બનાવાતી મિઠાઇ છે. લાડવામાં કાજુ, બદામ જેવો સુકો મેવો પણ ઉમેરવામાં આવે છે. કયારેક કોઇ ખાસ પ્રસંગે ખાવાનો ગુંદ પણ ઉમેરાય છે. ગુજરાતમાં મગજ તરીકે પ્રચલિત મીઠાઇ, ચણાના લોટના લાડવા જ છે. આજે તો તેના વિવિધ રૂ પોમાં બુંદીના, ચુરમાના, ગોળીયા, ફીણીયા, ડિંક નારિયેરના, રવાના, મોતી ચૂરના અને ગુંદર જેવાના લાડવા બનવા લાગ્યા છે.

હિન્દુ ધર્મની માન્યતા મુજબ લાડવા, શ્રી ગણેશજીની પ્રિય વાનગી મનાય છે. તેમના તમામ ચિત્રોમાં પણ હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત લાડુ બ્રાહ્મણોની પણ િ૫્રય વાનગી છે. ગુજરાતમાં તો ઘણીવાર લાડુ ખાવાની સ્પર્ધા પણ યોજવામાં આવે છે. આવી સ્પર્ધામાં સ્ત્રી-પુરૂ ષોને બાળકો પણ ભાગ લેતા જોવા મળે છે. બાળકના જન્મ બાદ માતૃ પક્ષ વાળા દિકરીને ઘેર ‘લાડવા’ લઇ જવાનો રિવાજ આજે પણ છે. લાડવામાં ખુબ જ કેલરી હોવાથી પ્રસુતિ પછી માતાને જલ્દીથી સ્વચ્છ થવા માટે શકિત અને પોષણ પુરૂ  પાડે છે.

એ આપણે લાડવાના ઇતિહાસ જોઇએ તો ચિકિત્સકના ઉદ્દેશને ઘ્યાને રાખીને ભારતીય સર્જરી અને ચિકિત્સાના જનક એવા સુશ્રુત દ્વારા કરવામાં આવ્યો છે. ઉદાહરણ જોઇએ તો તલના લાડુ આપણને બધાને ભાવે છે ચોથી સદી ઇ.સ. પૂર્વેમાં સુશ્રુતે તેના દર્દીના ઇલાજ માટે તેને ‘એન્ટિસેપ્ટિક’ના રૂ પમાં વાપરેલ હતું. ગુંદરના લાડુ પણ આજ વિરાસતની દેન છે.

ભારતમાં ઉત્તર દિશામાં હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ આ લાડવા પ્રસિઘ્ધ છે. લાડવા તારિસમાં ગરમ હોવાથી ઠંડી ઋતુમાં ખાવાનું ચલણ છે. આજ પ્રકારે આપણે અડદીયા ખાય જ છીએ. મહારાષ્ટ્રમાં  દિનકરયે લાડુના નામથી પ્રસિઘ્ધ છે. અહીં તેમાં મેથીના દાણા પણ નાખવામાં આવે છે, જાયફળ પણ નાંખવામાં આવે છે.

લાડવા પર્યાપ્ત માત્રામાં ઉર્જા પ્રદાન કરે છે. જે આપણાં શરીર બે કલાક રહે છે. તે ઘણી પોષ્ટિક સામગ્રીથી બનેલો હોય છે. બે ટાઇમના ભોજન વચ્ચે ખાવા માટે ઉત્તમ છે. નિતનવા લાડવામાં હમણા ‘કેરી ના લાડવા’ પણ બની ગયા જેમાં લોટમાં કેરીનો રસ નાખીને ઘી-ખાંડ જેવી રૂ ટીન વસ્તુ નાંખીને લગાવાય છે. આપણે ત્યાં મૃત્યુ બાદ બારમાની વિધીમાં પણ લાડુનુ જમણ હોય છે.આજે તો ચણાના લોટમાંથી પણ વિવિધ લાડવા બને છે. આપણે સૌરાષ્ટ્રવાળા ‘લાસા’ લાડવા ખાવાના શોખીન છીએ. મોટી બુંદી, જીણી બુંદી કે મોતી ચૂરના લાડવા આપણા તહેવારો ધાર્મિક પ્રસંગોની પરંપરા છે. લાડવા ઉપર ખસખસ લગાડાય છે જે તેને પચાવવામાં મદદ કરે છે.અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે વિવિધ પ્રકારનાં મોદક ગણપતિને પૂજન અર્ચનમાં પ્રસાદ ધરાય છે. ગણેશજીને લાડુ શું કામ પ્રિય છે તેની પાછળનો ઇતિહાસ જોઇએ તો જયારે ગણેશ જી અને ભગવાન વિષ્ણુ છઠ્ઠા અવતારમાં પરશુરામ ભગવાન સાથે યુઘ્ધ કરતાં હતાં. ત્યારે ગણેજીનો દાંત તૂટી જાય છે, અને તેને ખાવામાં તકલીફ પડવા લાગે છે એટલે એના માટે એવો ભોગ તૈયાર કરાયો કે મોંમા મૂકે તો તરત જ પિગળી જાય અને તે બનાવ્યા હતા લાડવા !! ત્યારથી ગણેશજી મોદકની પરંપરા શરૂ  થઇ, આજે પણ સૌ પ્રથમ ગણેશજીને લાડુનો પ્રસાદ ધરાવીએ છીએ. મહારાષ્ટ્રમાં ગણેશજીની મૂર્તિનું બાળસ્વરૂ પ સ્થાપના કરતા અને મોદક ધરાવતાં આ બાળ સ્વરૂ પના ઇતિહાસમાં જોઇએ તો માતા પાર્વતી ગણેશજીને પૃથ્વીની રક્ષા માટે ૧૦ દિવસ પૃથ્વી પર મોકલે છે. અને આપણે ૧૦ દિવસ પછી વિસર્જન કરીએ એટલે આપણે માતા પાર્વતીના ખોળામાં ગણેશજીને પાછા આપીએ છીએ.

૨૯૪૬૫ કિલોનો રેકોર્ડ બ્રેક લાડવો !!

ભારતના આંધ્ર પ્રદેશના તપેશ્ર્વર ગામમાં વ્યકિતગત તરીકે વર્લ્ડ રેકોર્ડ ‘લડુ’ નિર્માણ કરાયો હતો. જેનું વજન ૨૯૪૬૫ કિલોગ્રામ  હતું. જેમાં ઘી, તેલ, લોટ, કાજુ, ખાંડ, બદામ એલચી જેવી વિવિધ પોષ્ટીક સામગ્રીઓ નાંખવામાં આવી હતી. દુનિયાભરમાં ૨૦૧૬ ની સાલમાં આ વિશાળકાર્ય લાડુ બનાવીને વર્લ્ડ રેકોર્ડ  નોંધાવ્યો હતો. લાડવા ભારતમાં મંદિરોમાં પ્રસાદમાં લગ્ન પ્રસંગે બનાવાય છે. વેંકટેશ્ર્વર મંદિર તિરૂ માલા, આંધ્ર પ્રદેશમાં આ ‘તિરૂ પતિ લડુ’ તરીકે પ્રખ્યાત છે. આરતી, પ્રાર્થના સમયે હનુમાનજી માટે ચણાના લોટમાંથી લાડુ બનાવાય છે. મહારાષ્ટ્રીયન લોકો પણ લાડવાને પારંપરિક વ્યજન કહે છે. ૬૩૦૦ કિલોનો લાડુ ૨૦૧૨માં આંધ્રપ્રદેશમાં ગણેશ ઉત્સવમાં બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.