Abtak Media Google News

ગુજરાતી સાહીત્ય જગતના કવિ કલાપીના નામને કોઇ ઓળખની જરુર ન હોય લાઠીના રાજવી પરિવારના ઋજુ હ્રદયી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના નવા અવતારથી જે સર્જન થયું એ માનવી માટે કવિ કલાપી કહો એટલે બધુ જ આવી જાય તેમનું

Advertisement

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સૌરાષ્ટ્રના લાઠી નગરના રાજવી પરિવારમાં જન્મેલા ઋજુ હૃદયના ઊર્મિશીલ મહામાનવી નો પરિચય શું આપવો ??

કલાપી કહો એટલે બધું આવી ગયું

વ્યક્તિત્વ એટલે લાગણીઓ નો ઘૂઘવતો દરિયોજ સમજી લો, પોતાના હૃદયની ઉર્મીઓને એક બુકમાં ઉતારે નાનપણથી તેમને રોજનીશી લખવાની ટેવ હતી

એમણે પોતાની જાતને ક્યારેય કવિ ગણ્યા જ નથી પણ હા ! એ કવિ છે અને માતબર કવિ છે, એ સમયના સાહિત્યના અને જ્ઞાનના પ્રકાંડ પંડિતો પ્રત્યે તેમને વિશેષ આકર્ષણ હતું..

ગોવર્ધનરામભાઈ માધવરામ ત્રિપાઠી(સરસ્વતીચંદ્રના સર્જક)

મણીલાલ નભુભાઈ દ્વિવેદી, શ્રી જીવણલાલ દવે એટેલ કવિ – જટીલ,

રૂપશંકર ઉદયશંકર ઓઝા એટલે કવિ – સંચિત,  મણિશંકર રતનજી ભટ્ટ એટલે કવિ – કાન્ત,  આનંદશંકર ધ્રુવ,  હડાળા-બગસરા દરબાર- વાજસુર વાળા એટલે કવિ સુમન, મસ્તકવિ, ભોળા કવિ આમ બધા સાહિત્યિક મિત્રોની સંગાથે તેમણે પણ પોતાની ઉર્મીઓ ને શબ્દસ્થ કરવાનું શરુ કર્યું હતું પોતાના જીવન-પ્રસંગોમાં થી થતી અનુભૂતિ લખીને બધા મિત્રોને વંચાવતા મિત્રોની સલાહ હમેશા પૂરી નિખાલસતા પૂર્વક સ્વીકારતા પોતાની રચનાઓને મઠારતા, છંદ દોષ કે વ્યાકરણ દોષ સુધારતા એમ તેમનો સાહિત્ય પીંડ ઘડાયો. એમણે પોતાની રચનાઓનું એક પુસ્તક છપાવવાનો નિર્ધાર પણ કર્યો અને 1891 માં પ્રસ્તાવના પણ લખી એ સમયે ભાવનગરના જીવણરામ પ્રેસમાં છપાવવા પણ મોકલ્યો શરૂઆતમાં તેઓ તેમની રચના નીચે, જ.ઝ.ૠ એવું ટૂંકનામ લખતા પણ એ સમયે તેમના અંગત-મિત્ર અને લાઠી રાજ્યના નાયબ-કલેકટર  રુપશંકરભાઈ ઓઝા -કવિ સંચિતની સલાહ થી મધુકર ઉપનામ રાખવા વિચાર્યું અને બીજા કવિમિત્ર જીવણરામભાઈ, કવિ- જટિલએ ” ઉપનામ સૂચવ્યું બધા મિત્રોને બહુ ગમ્યું ! કલાપી- એટલે મોર અને કેકારવ એટલે મોરના ટહુકાઓ !!

આ બધી ઘટનાઓ 1892 થી 1899 ની વચ્ચે બની છે, માત્ર-થોડા અંગત મિત્રો સિવાય કલાપી વિષે કોઈ જાણતું પણ નહોતું અને અચાનક 9-મી જુન 1900ની મધરાતે લાઠીના આ ઠાકોરસાહેબે અચાનક આકસ્મિક વિદાય લીધી

પ્રજાવત્સલ રાજવીની વિદાય લાઠીના નગરજનોને હચમાચવી મુકે છે કારણકે લાઠીના રાજા તરીકે તેમણે કરેલા પ્રજા-ઉત્કર્ષના કાર્યો.મિત્રો કલાપી લાઠીના રાજા હતા એ સમયે છપનીયો – દુષ્કાળ સમગ્ર ગુજરાત અને રાજસ્થાન માં પડેલો ,,શ્રી,પન્નાલાલ પટેલની નવલકથા – માનવીની ભવાઈ જેમણે વાંચી છે તેમને ખ્યાલ હશે જ એ પરિસ્થિતિ, સંજોગો, અને માનવીય સંબંધો. એ સમયે અંગ્રેજ સરકાર પાસે થી રૂપિયા 1,50,000/- નું કરજ ( વ્યાજે લોન) લઈને લાઠીમાં માણસ તો શું ? એક પક્ષી કે પ્રાણી પણ મરે નહિ, તેવી વ્યવસ્થા કરનાર એ પ્રથમ રાજવી હતા ઈતિહાસમાં કોઈ રાજાએ પ્રજા માટે લોંન લીધી હોઈ તેવા દાખલા બહુ ઓછા છે !!

પશુ માટે મહારાષ્ટ્રના નાસિકથી ઘાંસ-ચારો અને પ્રજાજનો માટે છેક પંજાબથી ઘઉં અને કરાચીથી સાકર એમ બહુ દુરથી વસ્તુઓ અને પાણી છેક પાલીતાણાથી શેત્રુંજી નદીનું ટ્રેનમાં ટેન્કર ડબા ભરી ભરીને મંગાવ્યું હતું, અને લાઠીમાં સૌથી ઓછી જીવહાની અને ખુવારી થઇ એ માટે રાજા સુરસિંહજીની દીર્ઘ-દ્રષ્ટિ અને લાગણીઓ કારણભૂત બની !!

એજ સમયે ભારતમાં થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના થઇ હતી અને કલાપી એના સ્થાપક સભ્ય હતા !!

પ્રથમ અધિવેશન મદ્રાસમાં 1899 આસપાસ બોલાવવામાં આવ્યું હતું બધાનો ખુબ આગ્રહ હતા કે કલાપી હાજરી આપે પણ તેમણે આભારનો પત્ર પાઠવીને શુભેચ્છાઓ મોકલી અને લખ્યું !! મારી પ્રજા જયારે ભયંકર દુષ્કાળનો સામનો કરી રહી છે ત્યારે તેમને છોડીને હું નહિ આવી શકું, પ્રથમ પ્રજા ચિંતન પછી પ્રભુ ચિંતન !!

કલાપીના દેહાવસાન પછી કવિમિત્ર- કાન્ત અને કવિમિત્ર સંચીતના પ્રયાસો અને કલાપીકુમાર, શ્રી જોરાવરસિંહજી ગોહિલ અને શોભનાબાની મહેનત થકી 1903 – માં કેકારવનું પ્રકાશન થયું અને જગત ને ” વિષે જાણ થઇ કેકારવની આજ સુધીમાં 22-આવૃતિઓ બહાર પડી ચુકીછે જે ગુજરાતી સાહિત્ય જગતની વિરલ-ઘટના છે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.