Abtak Media Google News

વેપારીની પુત્રીએ હુલખોરના ત્રાસથી આપઘાત કર્યો હોય તે કેસમાં સજા પડતા બઘડાટી બોલાવી : ત્રણ ઘવાયા

લાઠીમા છ વર્ષ પહેલા એક યુવતીએ ગામના જ શખ્સના ત્રાસથી આપઘાત કરી લીધો હોય તે કેસમા તે શખ્સને સજા પડતા આ વાતનુ મનદુખ રાખી બે શખ્સોએ વેપારીના પરીવા પર ભરબજારે ધોકા અને છરી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

વિગતો મુજબ લાઠીમા આ ઘટના ગઇરાત્રે દસેક વાગ્યાના સુમારે બની હતી. જયાં લુવારીયા ગેઇટ પાસે રહેતા ગીરધરભાઇ પરશેાતમભાઇ મકવાણા પર ત્યાના જ નિલેષ રમેશભાઇ સાકરીયા અને ભરત જગાભાઇ મેર નામના શખ્સ આ ખુની હુમલો કર્યો હતો. ગીરધરભાઇની પુત્રીએ 2017મા નિલેષના મોટાભાઇ મહેશ સાકરીયાના ત્રાસના કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેથી તેને મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઇ હોય આ કેસમા મહેશ સાકરીયાને સજા પડી હતી. જે બાબતનુ મનદુખ રાખી આ હુમલો આ કરાયો હતો.

ગીરધરભાઇનો પુત્ર દિવ્યાંગ ગામમા ખરીદીમા ગયો હતો ત્યારે બંને શખ્સોએ કાર નંબર 0670 લઇ તેની પાછળ ગયા હતા અને છરી મારવા દોડયા હતા. જેને પગલે ગીરધરભાઇ અને તેનો પુત્ર ગીરીશ તથા તેમના પત્ની અરૂણાબેન ત્રણેય જણા નગરપાલિકા પાસે ગયા હતા. જયાં બંને શખ્સોએ તેમના પર છરી અને ધોકા પાઇપ વડે હુમલો કરતા ગુનો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.