Abtak Media Google News

જીવનનો આનંદ કે આનંદનું જીવન

 

જીવન પ્રેમનાથ સાથે લાગણીસભર અને આનંદિત હોવું જોઇએ: કોણ શું કહે છે, કેમ કરે છે, શું કામ કરે છે, આ બધાથી દૂર રહીએ તો જ સુખનો અહેસાસ જોવા મળે છે: આજે તો ભાગ્યે જ આપણને કોઇ હસતો માણસ જોવા મળે છે

જન્મ અને મરણ વચ્ચેની યાત્રાએ જીવન નથી, પણ આ યાત્રાના વિવિધ તબકકે મળતા અનુભવોમાંથી જીવન જીવવાનું ભાથુ મળે છે: બાળક કે બાળકોનો જન્મ થાય એવી સાથે મા-બાપનો પણ જન્મ થતો હોય છે

આજની જીવન શૈલીએ જીવનનો મર્મ બદલી નાખ્યો છે: જીવન મંગલમય કેમ બને તે સૌએ શીખી લેવા જેવું છે: જે સુખ તરફ જાય છે તેને દુ:ખ મળે છે, અને જે આનંદ તરફ જાય છે તેને જ સુખ મળે છે

જીવન ચલને કા નામ… ચલતે રહો સુબ હો શામ વર્ષો પહેલાના ફિલ્મ ગીતમાં જીવનની ફિલસુફી સમજાવી છે. જીવન એટલે શું ? આ પ્રશ્ર્નનો ઉતર તમારીજાત સાથે પ્રેમ કરતાં શીખો તો જ મળે છે. 84 લાખ યોનીના ફેરા બાદ આ જન્મ માનવ અવતાર કે જીવન મળે છે તેનો ઇશ્ર્વર પાસે પાડ માનવો જોઇએ. જન્મ અને મરણ વચ્ચેની યાત્રાએ જ જીવન છે ના આ યાત્રાના વિવિધ તબકકે મળતા અનુભવોમાંથી જીવન જીવવાનું ભાથુ મળે છે. જીંદગી કે જીવન ઇશ્ર્વર આધીન છે પણ મળ્યા તેટલા વર્ષોનો આનંદોત્સવ માણવો તેનો આપણાં હાથમાં છે.

જીવન મંગલમય કેમ બને તે આજના યુગમાં સૌએ શીખી લેવાની જરુર છે. આપણું જીવન એક સ્કુલ જેવું છે. ને તેનો અભ્યાસ ક્રમ અનુભવ છે. જીવન જીવવાની પ્રેરણા અને મુશ્કેલીના સમયે લડવાની તાકાત જીવન જીવતા મળેલા અનુભવોમાંથી શિખવા મળે છે. આજે બધા લોકો બીજાનું જોઇને તે પ્રમાણે જીવવા તન તોડ મહેનત કરી છે, પણ વાસ્તવિકતા તો એ છે કે કોણ શું કરે છે, કેમ કરે છે, શું કામ કરે છે એ બધાથી માનવી દૂર રહે તો તે પોતે ખુશ રહી શકે છે. આજે ભાગ્યે જ તમને સવારથી સાંજ સુધીમાં હસતો માણસ જોવા મળે છે. પ્લાસ્ટિકના ફૂલ જેવી ખોટી સ્માઇલ સાથે સ્વાર્થી જીવન જીવતા લોકો પોતાનું અને સાથે અન્યનું જીવન પણ બરબાદ કરે છે.

બાળક કે બાળકીનો જન્મ થાય એની સાથે મા-બાપનો પણ જન્મ થતો હોય છે. અત્યાર સુધી બન્ને એકલા હતાને બાળક જીવનમાં આવતાં તે ખરા અર્થમાં મા-બાપ બને છે. બાળક ને લાલન પાલન, ભણાવવું ને જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો, સંસ્કાર આપીને તેને શ્રેષ્ઠ નાગરીક બનાવવો તે પણ જીવવનનું કર્તવ્ય જ છે. મા-બાપનું જોઇએ સંતાન પણ તેની જેમ જીવન જીવવા લાગે છે. પરિવાર જ જીવનની સાચી મુડી છે. જીવનના વિવિધ તબકકામાંથી પસાર થઇને નિવૃતિ થાય ત્યારે પણ એ માનવી જીવન જીવતો જ હોય છે. એકલાનું જીવન કે પરિવાર સાથેનું જીવન, સંયુકત પરિવાર કે વિભકત પરિવારનું જીવન આખરે તો સંસાર યાત્રાનો જ ભાગ છે.

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વ્યાપારી બની જાય પણ પોતાની તકલીફ કોઇને વહેંચી શકતો નથી, જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો. આપણો સ્વભાવ પણ આપણાં સ્વભાવ પણ આપણાં જીવન જીવવાની પઘ્ધતિને આધારીત છે, માસણનું નામ લોકો યાદ નથી રાખતા પણ તેને સ્વભાવ હમેશા યાદ કરે છે. આપણે કોણ છીએ તેનું આપણને ભાન હોવું જોઇએ. પરિવારોના સંસ્કારો થકી પણ જીવનનો ઉજળું બનાવી શકાય છે.

જીવનને અનુભવ કરતા મિત્રતા, દોસ્તી જરુરી છે. જીવનના નવરંગોને માણવા અને સૌને સાથ આપનાર જ સફળ જીવનનો યાત્રી બની શકે છે. જીવનમાં પ્રેમના મહત્વને અગ્રસ્થાને ગણનાર પ્રકૃતિને પણ પ્રેમ કરતો હોય છે. પશુ-પંખી, ફૂલો, રંગો, દોસ્તી, ઇશ્ર્વર, માતા-પિતા, પરિવાર અને મિત્રો જેવા ઘણાં આપણી જીવન યાત્રાના સાથે છે જે દરેક આપણને કંઇકને શિખવતા રહે છે જેના આધારે આપણે જીવન જીવીએ છીએ.આજે દરેક માનવીને શાંતિ જોઇએ છીએ જીવનનો સાચો આનંદ મેળવવા શું કરવું? આ પ્રશ્ર્નનો જવાબમાં મન મુકીને જીવવાની વાત આવે છે, જે ગમે છે તે જ કામ કરો અન્યોને પરેશાની થાય તેવું નકરો મનગમતી કલા શીખો, ગીત ગાવ અને ખુશી થાય ત્યારે નાચવા લાગો, સમાજની સેવા કરો સાથે મોજ ભરીને જીવન જીવછ ને શ્રઘ્ધાવન બનો બસ આટલો જ આનંદીત જીવનનો મર્મ છે. આજની પ્રવર્તમાન લાઇફ સ્ટાઇલમાં આ બધું કરવાનો પણ સમય જ નથી ત્યાં શ્રેષ્ઠ જીવન જીવવાની વાત કયાં આવે !!

પોતાની જાત સાથે સંવાદ કરો,, પ્રેમ કરો અને સદા આનંદિત રહો એ સુખી જીવનનો મંત્ર છે. પૈસા ગૌણ વસ્તુ છે, શ્રીમંત કે ગરીબ ગમે તે, ધારે તે સુખમય જીવન જીવી શકે છે. જીવન એક ઉત્સવ જેવું છે. સુખ-દુ:ખ તો આવે ને જાય પણ આપણે તે સહન કરી શકતા નથી કે ધીરજ નથી રાખી શકતા તેથી જીવનને પણ દુ:ખમય બનાવીએ છીએ. જે થાય છે તેમાં ઇશ્ર્વરની કયાંક સારી વસ્તુ પણ છુપાયેલી હોય છે પણ તે આપણને દેખાતી નથી.જીવનમાં સતત હસતું રહેવુંને આનંદ કરવો  સક્રિય જીવન માર્ગમાં સૌ સાથે હળી મળીને રહેવું એ પણ સફળ જીવનની ચાવી છે. જીવનમાં સકારાત્મક વલણ રાખવાથી મુશ્કેલીનો આપો આપ અંગત થવા લાગે છે. તમે જે વિચારો છો એવું જ સામા વાળો વિચારે એવું શકય જ નથી તેથી આપણી અપેક્ષા જ વધતી હોવાથી માનવી પોતે પોતાનું જીવન ખરાબ કરે છે.

સકારાત્મક વલણ રાખવાથી મુશ્કેલીનો અંત થવા લાગે આજે બધા પોતાના જીવનમાં સફળતા સીડી ચડયા ઇચ્છે છે, પણ બહુ જ ઓછા લોકો જીવનમાં સફળતા મેળવે છે. નેગેટીવ વિચારો ને કારણે આજે નિષ્ફળતા પચાવી શકતા નથી પણ એ વાત પણ સાચી છે કે નિષ્ફળતા પાછળ જ સફળ જીવન છુપાયેલું હોય છે. જીવનમાં સફળ કે અસફળ થવું તે જીવનમાં નાનકડું ટપકું છે. જીવનનો અર્થ તો વિશાળ છે તે ભુલવું ન જોઇઅ. સફળ જીવનની ચાવીમાં પરિશ્રમ, જ્ઞાન કે શિક્ષણ  જીવનમાં સજાગ રહેવું અને આત્મ વિશ્ર્વાસ જેવાનો સમાવેશ થાય છે. જીવન જીવવાની કલા શીખવી જરુરી છે. લાઇફ એક સ્કીલ છે તેમાં પારંગતતા મેળવો એટલે સફળ જીવન મળે. બાળપણનું જીવન કે તરૂણો કિશોરોનું જીવન કે લગ્ન જીવન આપણે સંસાર યાત્રાના બધા જીવનની પ્રેરણા લઇને પણ પોતાનું જીવન સુધારી શકે છે. જીવનમાં આવતા પડકારોનો સામનો કરીને પથ્થરની જેમ મજબૂત બનીને સ્વની તાકાત વડે શ્રેષ્ઠ જીવન નિર્માણ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.