Abtak Media Google News

ભારતીયધર્મ,સમાજ, સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું અનેરૂ બહુહેતુક મહત્વ રહ્યું છે દિવાળી, બેસતા વર્ષના તહેવારો પ્રકાશ, ઉર્જા અને શુભેચ્છાઓના પર્વની સાથે સાથે વીતેલા સમયમાંથી બોધપાઠ લઈ નવા વર્ષ અને અવિરત આગળ વધતા જીવન તે વધુ સુખ, સમૃદ્ધિ અને સામર્થ્યવાન બનાવવા માટે ઉર્જા આપનારું પર્વ છે.

વિક્રમ સવંત 2019 ને વિદાય આપી 2080 ના વર્ષને સહર્ષ વધાવવાના આ અવસર તમામના જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય તેવી શુભકામના સાથે પરમેશ્વર પાસે એ જ પ્રાર્થના કરવાની કે “વસુદેવકુટુંબકમ’ નો માનવ જાતને સંદેશો આપનાર ભારતવર્ષ અને પ્રત્યેકભારતીય વિશ્વમાનવજાત અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણક ની ભૂમિકા સુપેરે અદા કરી શકે,

સમય સાથે બદલાઈ રહેલા વિશ્વમાં ભારતની ભૂમિકા નું મહત્વ વિશ્વ સમાજને સમજાયું છે, ભારત વિશ્વગુરુની ભૂમિકામાં દિનપ્રતિદિન વધુને વધુ માર્ગદર્શક બનતું રહ્યું છે, પર્યાવરણનીસમસ્યા હોય કે વૈશ્વિકઆંતકવાદ નું દુષણ ભારતે હંમેશા વિશ્વને જોડવાનું અને કલ્યાણ માર્ગ બતાવવાનું કર્તવ્ય નિભાવ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું નેતૃત્વ અને ભારતીય સહીતા આજે વિશ્વ માટે પ્રેરક બની છે, એક સમય હતો કે વૈશ્વિક મંચ પર મહાસત્તાઓ નુજ ધાર્યું થતું હવે સમય બદલાયો છે, બે દેશો વચ્ચેનું યુદ્ધ હોય કે ગ્લોબલવોર્મિંગ ની સમસ્યા અવકાશસંશોધનથી લઈને કોરોના મહામારીમાં માનવસહાય ની જરૂરિયાતોમાં હંમેશા ભારતની વાત સાથે વિશ્વ સહમત થવામાં ગૌરવ સમજતું થયું છે અવસરના ઉજાસ ના પ્રકાશ અને ઊર્જાના દીપાવલી અને બેસતા વર્ષના પર્વ અને 2080 નું વર્ષ ભારત અને ભારતીયો માટે કલ્યાણનું બની રહે તેવી અભ્યર્થના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.