ભાવનગર સહીત ગુજરાત પોલીસ બેડામાં અનેક જાંબાઝ અધિકારીઓ પોતાની સુઝબુઝ અને દેશ પ્રત્યેની વફાદારીથી પોતાની અલગ છાપથી જ પોલીસ બેડામાં ઉભરી આવે છે. અને અપહરણના કેસોમાં ગણતરીના સમયમાં જ ઝડપી લે છે. તેમની આવડત અને પોતાના અનુભવથી પોતાના કાર્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા હંમેશા જાળવવામાં સફળ રહ્યા છે. અગાઉ પાલીતાણા ભાવનગર સહીત રાજયના અલગ સ્થળ સાથે હાલ સુ.નગર ના લીંબડી ગામે નાયબ પોલીસ અધિક્ષધ તરીકે ફરજ બજાવતા અને અપહરણ કેસના સ્પેશ્યલીસ્ટ કહીએ તો નવાઇ નહી તેવા પ્રદીપસિંહજી જાડેજાને ‘ઇ કોપ’ ૨૦૧૮ એવોર્ડ માટે પસંદગી પામેલ છે. તે આનંદ અને ગર્વની વાત છે. પ્રદિપસિંહજી જાડેજાની ઉત્તર કામગીરીને લઇને તા. ૧૦ જુલાઇ ના રોજ ડીજીપીની કચેરી ખાતે ઇ કોપ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.
Trending
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા