Abtak Media Google News

2014માં રેલવે ટ્રેક પર અકસ્માતે દિવંગત થયેલા બે સિંહોની યાદીમાં રેલવે ટ્રેક પાસે જ પર્યાવરણ પ્રેમીઓએ બનાવ્યું ‘સિંહ સ્મારક’

તમે વિશ્વમાં ભગવાન દેવી દેવતાના મંદિરો જોયા હશે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં એશિયાટિક સિંહનું સ્મારક મંદિર વિશ્વ સિંહ દિવસમાં પૂજા અર્ચના કરી આરતીઓ કરી સિંહના સ્મારકના દર્શન કરવામાં આવે છે 2014માં રેલવે ટ્રેક ઉપર 2 સિંહોના મોત બાદ પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ દ્વારા રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક ઉભું કર્યું  મૃતક સિંહો ખુબજ લોકપ્રિય અને આ વિસ્તારના પ્રખ્યાત હતા લોકોની સિંહો સાથે આસ્થા અને લાગણીઓ સીધી રીતે જોડાયેલી છે

2014માં અમરેલી જિલ્લામાં સિંહોનું પહેલી વખત રેલવે ટ્રેકમાં અકસ્માત થયો રાજુલાના ભેરાઇ ગામ નજીક આવેલ રેલવે ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેન હડફેટે 2 સિંહોના મોત નિપજ્યા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ અને સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા ભેરાઇ ગ્રામજનોમાં પણ સિંહો પ્રત્યે લાગણીઓ હોવાને કારણે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહના સ્મારક બનાવનું નકી થતા ભેરાઇ ગામના ખેડૂત હરસુરભાઈ રામએ પોતાની જમીન આપી અને સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ અલગ અલગ દાતાઓ મારફતે સિંહ સ્મારક રેલવે ટ્રેક વિસ્તારમાં બનાવ્યું જેમાં સ્થાનિકો નિયમિત પૂજા અર્ચના કરી મંદિરની દેખરેખ પણ રાખી રહ્યા છે જ્યારે આ સિંહોના મોત થયા તે સિંહોની વિશેષતાના કારણે લાગણીઓ સીધી રીતે જોડાયેલી હોવાને કારણે એક આસ્થા જેવી સ્થિતિ સર્જાઈ છે અહીં પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સમાર્કના દર્શન કરવા પણ આવી રહ્યા છે જ્યારે બે સિંહણો ટ્રેક પર મોતને ભેટી તે સિંહણો આ વિસ્તારની માનીતિ અને લાડલીઓ હતી જેના કારણે લોકોમાં તેમની વધુમાં વધુ લાગણીઓ જોવા મળી રહી છે સ્વભાવની ખૂબ શાંત સ્વભાવ હતો જેથી લોકો આજે પણ તેમના પ્રત્યે આટલો આદર છે દેશ ભરમાં એશિયાટિક સિંહોનું ક્યાંય મંદિર નથી પરંતુ આ વિસ્તારના લોકો સિંહોને સાચવતા હોય અને સિંહોના સંરક્ષણ સહિત બાબતોએ જાગૃત અને સિંહો સાથે જોડાયેલ હોવાને કારણે સિંહપ્રેમીઓ દ્વારા મંદિર ઉભું કરવામાં આવ્યું છે વિશ્વ સિંહ દીવસ નિમિતે અહીં દર વર્ષે પર્યાવરણ પ્રેમીઓ નેચર ક્લબ સંસ્થા સહિત ગ્રામજનોમાં વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે અહીં પૂજા અર્ચના કરી સિંહ સ્મારકની આરતીઓ ઉતારવામાં આવી રહી છે જેના કારણે મંદિર દિવસે દિવસે પ્રખ્યાત બની રહ્યું છે ચારે તરફ ગાઢ જંગલ જેવો માહોલ વચ્ચે આ સિંહ સ્મારક રેલવે ટ્રેકની સામે જ આવેલું છે

અમરેલી જીલા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ કહ્યું અહીં વર્ષ 2014માં રેલવે ટ્રેક ઉપર અહીં 2 સિંહણો કપાય જતા મોત થયું હતું તે સિંહણો ખુબજ પ્રોપ્યુલર સિંહણો હતી અને અમારા વિસ્તારની પ્રખ્યાત હતી બધાની વચ્ચે રહેતી હતી બધા જ લોકોને સારો વિચાર આવ્યો અને સિંહ સ્મારક બનાવ્યું હતું વિશ્વની અંદર અહીં એક મંદિર બન્યું છે દર વર્ષે અહીં સિંહ ચાલીસા કર્યે છીએ વનવિભાગ બધા જ આવે છે લોકો આરતી ઉતારવા આવે છે તો કેટલાક તો માંનતાઓ ઉતારવામાં આવે છે લોકો ફરવા પણ આવે છે અમારા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સિંહો આવેલા છે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ખૂબ સિંહો છે તો સિંહ વિશ્વ દિવસ નિમિત્તે સિંહ બચાવો ગીર  બચાવો અમે સિંહ સાથે છીએ

ભેરાઇ ગામના હરસુરભાઈ રામ જેમણે સિંહ સ્મારક માટે જમીન આપી હતી તેમણે કહ્યું સિંહ બે ટ્રેક માં કપાયા હતા જેના કારણે મેં જગ્યા આપી હતી દર વર્ષે અહીં કથાઓ કરે આરતી ઉતારે લોકો શ્રી ફળ વધરે છે

પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ઇન્ચાર્જ અઈઋ જી.એલ વાઘેલાએ જણાવ્યું  વિસ્તારમાં જ્યારે હું નોકરી કરવા આવ્યો ત્યારે મને સમાચાર મળ્યા સિંહનું મંદિર છે મને એવું થયું સિંહ નું મંદિર તો આ લોકોની લાગણી કેટલી હશે પછી મને ખુબજ આનંદ થયો બે ચાર વર્ષથી મને સારો અનુભવ છે વન્યપ્રાણીને કોઈ તકલીફ હોય તો આ લોકો તાત્કાલિક અમને જાણ કરે છે ગામના નાગરિકો લોકો વન્યપ્રાણીના પ્રેમીઓ છે અમને ખૂબ હેલ્પ કરે છે રેવન્યુ વિસ્તારમાં અમે લોકોના સહકાર થી અમે પણ કામ કરીએ છીએ છે સારો એવો અમને આ લોકોનો સ્પોટ છે

સિંહની પૂનમ ગણતરીમાં સૌવથી વધુ અમરેલી જિલ્લામાં સિંહોનો આંકડો નોંધાયો છે

સૌરાષ્ટ્રમાં વનવિભાગની છેલ્લી પૂનમ ગણતરી પ્રમાણે અમરેલી જિલ્લામાં સૌવથી વધુ સિંહોની સંખ્યા નોંધાય હતી જેમાં કોસ્ટલ વિસ્તાર રાજુલા જાફરાબાદ માં રેવન્યુ અને માનવ વસાહત વચ્ચે સિંહો વસવાટ કરી રહ્યા છે ભેરાઇ રામપરા પીપાવાવ વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક આસપાસ સૌવથી વધારે સિંહોના ટ્રેક આસપાસ વસવાટ કરી રહ્યા છે સ્થાનિક ખેડૂતો માલધારીઓ પણ વનવિભાગ જેટલું જ સિંહોનું ધ્યાન રાખી સાચવી રહ્યા છે તેના કારણે વનવિભાગ પણ ગૌરવ લઈ રહ્યું છે.

સિંહ ચાલીસા સહિત કાર્યક્રમ યોજાયા

મોટી સંખ્યામાં સ્થાનિકો સિંહ પ્રેમીઓ વનવિભાગના અધિકારીઓ ઉપસ્થિત વચ્ચે સિંહ ચાલીસા સહિત કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો અહીં સિંહ સ્મારક દર્શન કરવા અને સિંહનું મંદિર ની વાત સાંભળી બહારના લોકો પણ આવી રહ્યા છે જેના કારણે આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે અને સિંહો પ્રત્યે આત્મય લગાવ હોવાને કારણે લોકોને સિંહો ગમે તેટલું નુકસાન કરે તેમ છતાં સિંહો પ્રત્યે આ વિસ્તારમાં આદર અને લાગણીઓ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.