Abtak Media Google News

સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વીએ ચંદ્ર અને સૂર્યની વચ્ચે એવી રીતે આવે છે કે ચંદ્ર ધરતીની પૃથ્વીની છાયાથી ઢંકાય જાય છે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. ભારતમાં ખગ્રાસ ચંગ્રહણ ગ્રસ્તોદય અવસ્થામાં જયારે વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં ખગ્રાસ ચંગ્રહણનો અભુત અવકાશી નજારો મંગળવાર તા. 8 મી નવેમ્બરે જોવા મળવાનો છે, આશરે 3 કલાક 40 મિનિટનો અવકાશી નજારો આહલાદક જોવા મળવાનો છે.

કાર્તિક સુદ પૂનમ અને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ દેખાશે. આ ગ્રહણ ભારત અને ગુજરાતમાં ધાર્મિક દ્રષ્ટીએ દેખાવાનું હોવાથી પાળવાનું રહેશે. ચંદ્રગ્રહણનો વૈદ્ય મંગળવારે સવારે ૫:૩૯ થી શરુ થઈ જશે. સૌરાષ્ટ્રમાં ચંદ્રગ્રહણ સાંજના ૦૬:૦૩ વાગ્યાથી ૬:૧૯ વાગ્યા સુધી રહેશે.

ચંદ્રગ્રહણ દરમિયાન શું અને શું કરવું ?

>> ચંદ્રગ્રહણ દરમિયાન આ ન કરવું

૧. ગ્રહણના સમય દરમિયાન પાણી પીવું નહિ
૨. ભોજન કરવું નહિ

નોંધ: બીમાર વ્યક્તિ, વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓ માટે ગ્રહણનો વૈદ્ય બપોરના ૦૩:૦૦ વાગ્યાથી લાગુ પડશે.

>> ચંદ્રગ્રહણ દરમિયાન આ કરવું

ગ્રહણ દરમિયાન કુળદેવીનો જપ કરવો, ગુરુ મંત્રનો જપ કરવો, ચંદ્ર ગ્રહનો જપ કરવો ઉતમ ગણાઇ છે.

ગ્રહણ પૂરું થયા બાદ ઘરના તમામ સભ્યોએ સ્નાન કરવું, આખું ઘર શુદ્ધ પાણી દ્વારા સાફ કરવું, પૂજામાં રહેલ ભગવાનને દીવાબતી કરવા.

ચંદ્રગ્રહણ પૂરું થયા બાદ આ બાબતો કરવી ઉતમ

ગ્રહણ પૂરું થયા બાદ ધન આપવું ઉતમ ગણાય છે. ચોખાનું દાન, સફેદ વસ્તુનું દાન આપવું, સફેદ વસ્ત્રનું દાન આપવું, ચાંદીનું દાન આપવું ઉતમ ગણાય છે.

રાશી પ્રમાણે ચંદ્રગ્રહણનું ફળ

શુભ ફળ: વૃશ્ચિક, કુંભ, મિથુન, કર્ક

મિશ્ર ફળ: મીન, સિંહ, તુલા, ધન

અશુભ ફળ: મેષ, મકર,કન્યા,વૃષભ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.