Abtak Media Google News

મહારાષ્ટ્રના રાયગઢમાં શનિવારે સવારે બસને અકસ્માત નડ્યો હતો જેમાં ૧૨ લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી છે. ખાપોલી વિસ્તારમાં બસ રોડ પરથી ઉતરીને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ બસમાં સવાર લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ખાનગી બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી. મુંબઈ-પુણે હાઈવે પર શિંગરોબા મંદિર પાસે બસ ચાલકે કાબૂ ગુમાવી દેતાં બસ રોડ પરથી ઉતારીને ખાડામાં પડી ગઈ હતી. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા જેમાં ૧૨ લોકોના મોત અને ૨૫થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.