Abtak Media Google News

રાજકોટ-મુંજકા ખાતે આવેલી હરિવંદના કોલેજના મેનેજમેન્ટ વિભાગ દ્વારા મેનીફેસ્ટ ૨૦૧૯ અંતર્ગત વિવિધ એકેડેમીક અને નોન એકેડેમીક સ્પર્ધાઓનું અને‚ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટની વિવિધ કોલેજોમાંથી ૪૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સમગ્ર આયોજન સૌરાષ્ટ્ર યુનિ.નાં હોલ ખાતે કરવામાં આવ્યુંહ હતુ જેમાં રાજકોટનાં ઉદ્યોગપતિ જતીનભાઈ વેકરીયા તેમજ આત્મીય યુનિવર્સિટીના વિભાગીય વડા ડો. અભયતભાઈ રાજા એ વિદ્યાર્થીઓને સંબોધીત કયાર હતા. આ સમગ્ર આયોજન હરિવંદના ચેરમેન ડો. મહેશભાઈ ચૌહાણ તથા કેમ્પસ ડાયરેકટર ડો. સર્વેશ્વરભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કોમર્સ અને મેનેજેમેન્ટ વિભાગના વડા વિશાલભાઈ વસા અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ અને સફળતા પૂર્વક કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.