Abtak Media Google News

આરોગ્ય  વિભાગે ફરાળી લોટના નમૂના લઈને  વડોદરા લેબોરેટરી ખાતે મોકલાવાયા

મોરબીમાં  ફરાળી લોટ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગના કારણે એક ડઝન જેટલા નાગરિકો ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. ફરાળી લોટની વાનગી ખાધા બાદ લોકોને ઉલટી શરૂ થવા લાગી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ તમામ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને લાંબા સમયથી આરામ માં રહેતું ફૂડ વિભાગ પણ સફાળું જાગી ઊઠ્યું છે અને અનેક લોકો ભોગ બન્યા બાદ હવે લોટ માં લીટા કરવા જેવી કામગીરી શરૂ કરવામાં આવી છે.

Advertisement

ઉપરોક્ત બનાવને પગલે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફુડ વિભાગ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરી ને શ્રીજી ફરાળી લોટના નમુના લઇને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તેમજ બનાવને લઈ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને શ્રીજી ફરાળી લોટનુ હોલસેલ વેચાણ કરતા વાવડી રોડ પર આવેલ અક્ષર નામની દુકાનમાંથી પણ નમુના લેવાયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ખોરાકી ઝેરના અલગ-અલગ વિસ્તારોમાં 20 કરતા વધુ કેસો નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.