Abtak Media Google News

ખોડલધામ સાથે જોડાયેલા આગેવાનો કોઈપણ ક્ષેત્રમાં જવા સ્વતંત્ર: આગેવાનોએ એક સૂર વ્યકત કર્યો

Advertisement

જેતપુર:શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ખાતે ખોડલધામ ચેરમેન મેનેજમેંટ ગુરુ નરેશભાઈ પટેલ, ખોડલધામ પ્રમુખ પરેશભાઈ ગજેરા તથા સર્વે ટ્રસ્ટી મંડળ ઉપસ્થિતિમાં ખોડલધામ ક્ધવીનર માર્ગદર્શન સેમિનાર નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું અત્રે ગુજરાત ના તમામ જિલ્લા ક્ધવીનર, તાલુકા ક્ધવીનર, મહિલા ક્ધવીનર તથા વિદ્યાર્થી સમિતિ ઉપસ્થિત રહ્યા  હતા. આ બેઠકમાં ઉપસ્થિત સર્વે આગેવાનોએ એવો સુર વ્યકત કર્યો હતો કે, ખોડલધામ ટ્રસ્ટ ખાતે જોડાયેલા આગેવાનો કોઈપણ ક્ષેત્રમાં જવા માટે સ્વતંત્ર છે. આગેવાનો જે ક્ષેત્રમાં જશે સમાજના વિકાસ માટે સમાજ તેને પૂરતું સમર્થન આપશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.