Abtak Media Google News

મેઘરાજા એ માત્ર ૨૪ કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે. રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર ના વધામણાં કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા ના સશકપક્ષ અને ભાજપ દ્વારા નગરના રણજીતસાગર ડેમ અને રણમલતળાવ પર નવા નીર ના વધામણાં કર્યા હતા, ભાજપ  અને મહાનગરપાલિકા ના સાસકપક્ષ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર સ્ટેંડિંગ કમિટી ના ચેરમેન સુભાષભાઈ જોશી સાસકપક્ષના નેતા સહિત આગેવાનો અને નગરસેવકો હાજર રહ્યા હતા અને શાોક્ત વિધિ થી નિરના વધામણાં કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.