Abtak Media Google News
  • અરજદારોને બેંકના ધકકા બંધ નવી વ્યવસ્થા અમલી

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપેલ મંજુરી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકના નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઇન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવુ પડતુ હતુ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જાહેર જનતા/ઉદ્યોગકારોને સરકારી નાણાની રકમ ઓફલાઇન બેન્કમાં જમા ન કરાવવી પડે તથા ઉદ્યોગકાર કે સેવા મેળવનાર વ્યક્તિ પોતાના બેંક ખાતામાંથી રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરાવી શકે તેવો અભિગમ અપનાવતા નશાબંધી અને આબકારી વિભાગની તમામ સેવાઓના નાણા ઓનલાઇન જમા કરાવી શકાય તેવી જોગવાઇ કરવામાં આવેલ છે. આ જોગવાઇઓનો અમલ તા. 15માર્ચથી કરવામાં આવે તે મુજબનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી હવેથી જે તે અરજદારને હવે ઓફલાઇન ચલણ દ્વારા બેંકમાં નાણા જમા કરાવવા જવા માંથી મુક્તિ મળશે, અરજદારો આ સેવાનો લાભ 24ડ7 મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.