Abtak Media Google News

મોરબીમાં ખાવાનું માંગવા જેવી નજીવી બાબતે આધેડને છરીના ઘા ઝીકી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના શાંન્તિનગર, થાના ચટીયા ખાતે રહેતા રમેશકુમાર ખુર્રમ યોગી નામના આધેડ મજુરી અર્થે મોરબી આવેલ હોય અને કોઇ કામ ધંધો નહી મળતા રેલ્વે સ્ટેશન રોડ તરફ વીસીફાટક નજીક છેલ્લી ઇંડાની લારી પાસે બેઠેલ એક બહેન પાસે ખાવાનુ માંગતા જેથી બહેને ખાવા દેવાની આનાકાની કરી છણકો કરતા ફરીયાદીએ તે બહેનને આ રીતે નહી કરવા કહેતા તે બહેનની બાજુમાં બેઠેલ અજાણ્યો માણસ જે એકદમ ઉશ્કેરાઇ જઇ ઉભો થઇ ફરીયાદી પાસે ગયેલ અને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરિયાદી આધેડને મારી નાખવાના ઇરાદે પેટના ભાગે છરીનો એક ઘા મારી દઇ ગંભીર જીવલેણ ઇજા કરી આંતરડા બહાર નીકળી જતા અજાણ્યો માણસ નાસી છૂટ્યો હતો. જે સમગ્ર મામલે ભોગ બનનાર રમેશકુમાર ખુર્રમ યોગીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.