Abtak Media Google News

ઓશો સંબોધી ઉત્સવ નિમિતે મોરબીના સજ્જનપર નજીકના ઓશો કેસર ફાર્મ ખાતે તા. ૨૦ થી ૨૪ સુધી ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ઓશો કેશર ફાર્મ પરિવાર દ્વારા આયોજિત શિબિરમાં તા. ૨૧ ના ધૂળેટીના પર્વ નિમિતે રંગ ગુલાલ દ્વારા ઉજવવામાં આવશે તેમજ તા. ૨૧ નો દિવસ આખા વિશ્વમાં ઓશો સંબોધી દિવસ તરીકે ઉજવાય છે તે અનુસંધાને આધ્યાત્મિક જગતના પરમ પળને પામેલ સદગુરુ ઓશો કરેલ પુરતી અને વિશ્વને ખરા અર્થમાં ધર્મની રાહ ચિંધનાર ઓશોને આ દિવસના તેમની ૨૧ વર્ષની આયુષ્યે સમાધિની અનુભૂતિ થઇ હતી

રમેશભાઈ રૈયાણી દ્વારા સંચાલિત ઓશો કેશર ફાર્મમાં સાધક મિત્રો માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવે છે અને સાધનામાં કોઈ તકલીફ ના પડે તેવા પ્રયત્નો કરવામાં આવે છે તા. ૨૦ થી ૨૪ સુધી ચાલનારી શિબિરમાં રહેવાની તેમજ સવારના નાસ્તો, તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વધુ વિગતો માટે સ્વામી રમેશભાઈ મો. ૯૮૭૯૦ ૧૦૭૮૯ માં દેવ નર્તન ૭૯૯૦૦ ૨૯૭૬૭ અને સ્વામી હસમુખભાઈ ૯૩૭૪૪ ૧૫૬૭૪ નો સંપર્ક કરવા સ્વામી ધ્યાન અશોકની યાદીમાં જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.