Abtak Media Google News

9મી માર્ચ વિશ્વ કિડની દિવસ

ગુરૂવારે યુરો કેર હોસ્પિટલમાં સિનિયર યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણી, ડો.જીગેન ગોહેલ, ડો.પ્રતિક અમલાણી નિ:શુલ્ક  સેવા આપશે

Screenshot 15 1

વિશ્વમાં કિડની (Kidney) સંબંધિત બિમારીથી પિડીત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સાથે કિડની ફેઇલ થાય છે ત્યારે રોગ મટી શકે તેવી કોઇ જસારવાર ઉપલબ્ધ નથી. અને દરેક દર્દીએ કાયમી ડાયાલીસીસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા અત્યંત ખર્ચાળ સારવારમાં વું પડે છે. ભારતમાં એક કરોડથી વધુ લોકો કિડનીની બિમારીથી પિડાય છે અને તેની સારવાર મોટાભાગના લોકોની પહોંચની બહાર હોય છે. આ કારણોસર કિડનીના રોગ અટકાવવા એ એક કિડની બચાવવાનો સરળ ઉપાય છે અને તે માટે જ્નજાગૃતિ જરૂરી છે.

દર વર્ષે વિશ્વ કિડની દિવસ કોઇને કોઇ ધ્યેય સાથે માર્ચ મહિનાનાં બીજા ગુરૂવારે સમગ્ર વિશ્વમાં ઉજ્જવામાં આવે છે. સામાન્ય લોકોમાં કિડની અંગેની જાગૃતિ ફેલાવવા અને સંભવિત જોખમોથી કિડનીને બચાવવાની સમજ્જી આપવા અને દર્દીઓને વહેલાસર નિદાન માટે પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર વિશ્વમાં જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવે છે.જેમાં

વિશ્વ કિડની દિવસના આ વર્ષના ધ્યેયમા સામાજીક ઇમરજ્સી જેવી કે COVID-19, ધરતીકંપ-દુષ્કાળ,સુનામી જેવી અણધારી આવી પડતી આફતોમાં કિડની રોગ જેવા કે નોન-કોમ્યુનિકેબલ રોગના દર્દીઓને તુરંત સારવાર મળી રહે તેવું આયોજ્ન કરવું. આવા સમયે જરૂરી તમામ તબીબી સહાયતા તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવી અને ભવિષ્યમાં તેમને તાત્કાલિક સારવાર મળી રહે તેવું આયોજ્ન કરવું.

કિડનીના રોગના દર્દીને સામાન્ય રીતે ખબર પડે ત્યારે 90 ટકા કિડની ખરાબ થઇ ગઇ હોય છે. તેથી કિડનીના રોગના વધુ જોખમવાળા લોકોએ કિડની અંગેની તપાસ નિયમિત કરાવવી જોઇએ.

વધુ જોખમવાળાદર્દીઓ:ડાયાબીટીસવાળા દર્દીઓ ,” બ્લડપ્રેસરવાળા દર્દીઓ, ” ધુમ્રપાન કરતા લોકો, કુટુંબમાં કોઇને કિડની ફેઇલ થયેલ હોય તેવા લોકો, વધુ પડતુ વન – જાડાપણું , આવા લોકોએ નિયમિતપણે ડોકટર પાસે કિડનીની તપાસ કરાવવી જોઇએ.

વિશ્વ કિડની દિવસનિમિત્તે કિડનીના રોગથી બચવા માટે સમગ્ર વિશ્વમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા આ અંગે નજાગૃતિ માટે જુદાજુદા કાર્યક્રમો આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુરોલોજી એસોશિએશન અને બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ દ્વારા નજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમનું આયોજ્ન કરવામાં આવેલ છે,

આ ઉપરાંત, ગુરૂવાર,તા.9 ના રોજ યુરોકેર હોસ્પિટલ, વિધાનગર મેઇન રોડ, રાજકોટ (ફોન નં. 97129 77093) ખાતે સવારે 9 થી 12 દરમિયાન માં નિશુલ્ક કિડની રોગ નિદાન કેમ્પનું આયોજ્ન કરવામાં આવેલ છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સિનિયર યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. જીગેન ગોહેલ તથા ડો. પ્રતિક અમલાણી પોતાની સેવાઓ આપવાના છે.

આ સાથે બાળકોને લગતા કિડની-પેશાબના દર્દીના સૌરાષ્ટ્રના એકમાત્ર પિડીયાટ્રીક યુરો-સર્જન ડો. ધૃતિબેન અમલાણી (લસરીયા) પણ આ નિદાન યજ્ઞમાં પોતાની સેવાઓ આપવાના છે, જેનો લાભ લેવા જાહેર જ્નતાને અપીલ કરવામાં આવે છે. દર્દીએ પોતાની જુની ફાઇલ અને રિપોર્ટ સાથે લાવવા જરૂરી છે.

કિડનીના રોગના મુખ્ય લક્ષણો

પેશાબના પ્રમાણમાં ઘટાડો કે વધારો અને રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે. આંખ અને મોઢા પર સોજા આવે, પડખામાં દુખાવો થાય, ઉઘવામાં તકલિફ, માથાનો દુખાવો, હાંફ ચડવી ઉલ્ટી, ઉપકા, ખરાબ શ્વાસ, લોહીનું ઉંચુ દબાણ ડાયાબીટીસ.

કિડની સ્વસ્થ રાખવા માટેના આઠ સુવર્ણ સૂચનો

  1. એકટીવ રહો – ફીટ રહો

નિયમિત કસરત, યોગ અને ધ્યાનથી શરીર સ્વસ્થ રહે. શરીરમાં સુગર અને બ્લડપ્રેસર નિયમિત રહે અને વન પણ નિયંત્રિત રહે અને એટલે કે કિડનીના દિવસે લોકોને નિયમિત કસરત, ચાલવાનું, સાયકલીંગ અને દોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

  1. તમારા બ્લડસુગરને કાબુમાં રાખો

કિડનીને બચાવવા માટે બ્લડસુગર નિયંત્રિત રાખવું જરૂરી છે. ડાયાબીટીસના દર્દીઓ કિડનીની તપાસ નિયમિત કરાવતા રહેવું જોઇએ.

  1. તમારાબ્લડપ્રેસરનેનિયંત્રિત રાખો

સામાન્ય રીતે તંદુરસ્ત વ્યકિતનું બ્લડપ્રેસર નિયમિત રાખવાથી 120/80મી.મી. મરકયુરી હોય છે. બ્લડ પ્રેસર નિયમિત રાખવાથી કિડનીને બગડતી અટકાવી શકાય છે.

  1. તમારા વનને નિયંત્રિત આહાર

દરેકવ્યકિતએ જંક ફુડથી દુર રહેવું જોઇએ. હેલ્થી ફુડનો આગ્રહ રાખવોજોઇએ,ખોરાકમાં નમકનું પ્રમાણ ઓછુ કરવું જોઇએ.

  1. ખુબ પાણી પીઓ

દિવસમાં 3 થી 4 લિટર જેટલું પાણી-પ્રવાહી પીવું જોઇએ. આમ કરવાથી કિડનીને શરીરમાંનો કચરો બહાર કાઢવામાં સરળતા રહે છે અને કિડનીમાં પથરી થવાના જોખમમાં પણ ઘટાડો થાય છે.

  1. ધુમ્રપાનથી દુર રહો

ધુમ્રપાનથી ડિનીમાંલોહીપરિભ્રમણમાંમુશ્કેલી થાય છે. અનેકિડનીબગડે છે. કિડનીમાંકેન્સરનું પ્રમાણ પણ વધે છે.

  1. ડોક્ટરની સલાહ વગર દવાઓ લેવી નહીં.

ડોકટરની સલાહ – ચિઠ્ઠી વગર દવાઓ ન લેવી જોઇએ. બિનજરૂરી અને બિનસલાહ દુખાવાની દવાઓ લાંબા સમય માટે લેવાથી કિડની ખરાબ થાય છે.

  1. નિયમિત કિડનીનું ચેકઅપ કરાવો

કિડનીની બિમારી અંગેનું નિદાન લોહી – પેશાબની સામાન્ય તપાસ દ્રારા થઇ શકે છે. ડાયાબીટીસ, બ્લડ પ્રેસરની બિમારી, ધુમ્રપાન કરતી વ્યકિત, જાડાપણાવાળી વ્યકિત અથવા તો જેમના કુટુંબમાં કિડની ફેઇલ્યોરના દર્દી હોય તેમણે નિયમિત કિડનીની તપાસ કરાવવી જોઇએ અને સલાહસુચન લેવાજોઇએ.

કિડની બચાવવા માટે ઉપરનાં સોનેરી સુચનોનું સૌએ પાલન કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.